Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વિજરખીમાં પવિત્ર શ્રાવણ માસ દરમ્યાન
જામનગર તા. ૧૯: જામનગર નજીક વિજરખી પાસે કંકુનગરમાં આવેલ તપોવન ફાઉન્ડેશન સંચાલિત હરેશ્વર મહાદેવ મંદિરમાં સમગ્ર શ્રાવણ માસ દરમ્યાન રૂદ્રાભિષેક પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે.
પરમ પવિત્ર શ્રાવણ માસ દરમ્યાન તા. ૨૫-૭-૨૫ થી તા. ૨૩-૮-૨૫ સુધી દરરોજ નિયમિત સવારના ૫:૩૦ કલાકે બિલ્વપત્ર, ધતુરો, દૂધ નાળીયેર પાણી, શેરડીનો રસ, ચંદન, કાળા તલ, ચોખા અને પંચામૃત વિગેરે ૨૧ જાતના દ્રવ્યોથી ભૂદેવો દ્વારા હરેશ્વર મહાદેવને રૂદ્રાભિષેકની પૂજા તથા આરતી સંપન્ન કરવામાં આવશે.
શ્રાવણ માસ દરમ્યાન દર સોમવારે, રક્ષાબંધન (બળેવ) ને દિવસે, ૧૫મી ઓગષ્ટ, શિવરાત્રીના તથા અમાસના વિશેષ શણગાર દર્શન તથા મહાઆરતીનું આયોજન નક્કી કરેલ છે. સર્વે દાતા પરિવાર, કાર્યકર્તા પરિવાર તથા જામનગરના શિવભક્તોને તપોવન ફાઉન્ડેશન જામનગર દ્વારા આ નિઃશુલ્ક રૂદ્રાભિષેક પૂજાનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.
કર્મકાંડ-ધાર્મિક વિધિ કરતા બ્રાહ્મણ બંધુઓ (ભૂદેવ) ને તેમના યજમાન પરિવાર સાથે હરેશ્વર મહાદેવ મંદિર તેમજ પ્રાંગણમાં આવેલ યજ્ઞશાળા-ભોજનશાળાનો લાભ લેવા તપોવન ફાઉન્ડેશન-જામનગર દ્વારા જણાવાયુ છે. સંસ્થા દ્વારા દરેક પ્રકારની સુવિધા નિઃશુલ્ક પુરી પાડવામાં આવશે. રૂદ્રાભિષેક પૂજાનો લાભ લવો હોય તેમણે જયંતીભાઈ પટેલ (મો.૯૫૧૨૨૦૦૫૧૬) નો સંપર્ક કરવો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial