Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
છ એટીએમમાં નાણા ભર્યા જ નહીં કે ભર્યા પછી ઉપાડી લીધા!
જામનગર તા. ૮: જામનગરના બે યુવાન ખાનગી તથા સરકારી બેંકના એટીએમમાં નાણા ભરવા જવાનું કામ કરતી પેઢીમાં નોકરી કરતા હતા. આ બંને શખ્સે છેલ્લા સાતેક મહિનામાં જુદા જુદા એટીએમમાં રૂ.૩૧ લાખ ૩૬ હજારની રકમ ઓછી જમા કરાવી બારોબાર સગેવગે કરી નાખ્યાની આ પેઢીના અન્ય કર્મચારીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. વિશ્વાસઘાત કરનાર બંને શખ્સ સામે ગુન્હો નોંધી પોલીસે તપાસ આરંભી છે.
જામનગરના શંકરટેકરી વિસ્તારમાં આવેલા નહેરૂનગરની શેરી નં.૧૧માં રહેતા પ્રકાશ નાથાભાઈ મેરીયા તથા ખોડિયાર કોલોની નજીક હીરાપાર્કમાં રહેતા કશ્યપ ભરતભાઈ અંકલેશ્વરીયા નામના બે શખ્સને બેંકના કસ્ટોડિયલ તરીકે જે કંપનીને કામ આપવામાં આવ્યંુ છે તે કંપનીના કર્મચારીઓ સામે રાજકોટના ભાવિન ભરતભાઈ જોષીએ રૂ.૩૧ લાખ ૩૬ હજારની ઉચાપત કર્યાની સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવવામાં આવ્યા મુજબ એક ખાનગી કંપનીએ જુદી જુદી બેંકો પાસેથી કસ્ટોડિયલ તરીકે કામ સંભાળ્યું છે. તેમાં આ કંપનીએ જે તે બેંકના એટીએમમાં નાણા જમા કરાવવા અને ઉપાડવા સહિતની કામગીરી કરવાની હોય છે. તે કામગીરી અંતર્ગત ખાનગી કંપનીમાં ભાવિન જોષી તેમજ પ્રકાશ મેરીયા, કશ્યપ અંકલેશ્વરીયા સહિતના વ્યક્તિઓ નોકરી કરે છે.
તે કર્મચારી પૈકીના પ્રકાશ તથા કશ્યપને જામનગર શહેરના કેટલીક બેંકના એટીએમ તેમજ દરેડ અને ધ્રોલમાં આવેલા એટીએમ સેન્ટરમાં પૈસા જમા કરાવવા જવાની કામગીરી કરવાની હોય છે. તેમાંથી આ વ્યક્તિઓએ એસબીઆઈના લીમડા લેન તેમજ દરેડમાં આઈસીઆઈસીઆઈ બેંકના એટીએમ ઉપરાંત ધ્રોલમાં સેન્ટ્રલ બેંકના એટીએમમાં છેલ્લા સાતેક મહિનામાં જે પૈસા જમા કરાવ્યા તેમાં રૂ.૩૧ લાખ ૩૬ હજાર જમા ન કરાવી વિશ્વાસઘાત કર્યાે છે. પીઆઈ પી.પી. ઝાની સુચનાથી પીએસઆઈ જે.પી. સોઢાએ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial