Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તા. ર૧ જુલાઈથી ર૧ ઓગસ્ટ વચ્ચે રર દિવસ ચાલનારૂ
નવી દિલ્હી તા.૩: આગામી ર૧ જુલાઈથી ર૧ ઓગસ્ટ દરમિયાન સંસદનું ચોમાસુ સત્ર રર દિવસ સુધી ચાલશે. પહલગામ હુમલા પછી યોજાનારા આ સંસદ સત્રમાં ખૂબ જ હોબાળો થવાનો છે તે નક્કી જણાય છે. સરકાર અલ્હાબાદ હાઈકોર્ટના ન્યાયાધીશ યશવંત વર્મા સામે મહાભિયોગ પ્રસ્તાવ લાવવાની પણ તૈયારી કરી રહી છે, તે નક્કી જણાય છે.
સંસદનું ચોમાસુ સત્ર ર૧ જુલાઈથી શરૂ થશે, જે ૧ર ઓગસ્ટ સુધી ચાલશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સરકારના આ પ્રસ્તાવને મંજુરી આપી છે. સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ બુધવારે આ માહિતી આપી. તેમણે જણાવ્યું કે આ વખતે ચોમાસુ સત્ર રર દિવસ સુધી ચાલશે.
પહલગામ હુમલા પછી યોજાનારા આ સંસદ સત્રમાં ખૂબ જ હોબાળો થવાનો છે. કેન્દ્રિય મંત્રી કિરેન રિજિજુએ મંગળવારે 'એક્સ' પર પોસ્ટ કરીને માહિતી આપી હતી. સ્વતંત્રતા દિવસની ઉજવણીને ધ્યાનમાં રાખીને ૧૩ અને ૧૪ ઓગસ્ટે કોઈ બેઠક નહીં થાય. સંસદના બન્ને ગૃહો ત્રણ મહિનાથી વધુ સમયના અંતરાલ પછી ર૧ જુલાઈએ સવારે ૧૧ વાગ્યે શરૂ થવાના છે. અગાઉ રિજિજુએ મીડિયાને જણાવ્યું હતું કે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહની આગેવાની હેઠળની સંસદીય બાબતોની કેબિનેટ સમિતિએ તારીખોની ભલામણ કરી હતી.
ઓપરેશન સિંદૂર પછી આ પહેલુ સત્ર તોફાની રહેવાની ધારણા છે. તે જ સમયે આગામી સત્ર દરમિયાન સરકાર અલ્હાબાદ હાઈકોર્ટના ન્યાયાધીશ યશવંત વર્મા સામે મહાભિયોગન પ્રસ્તાવ લાવવાની પણ તૈયારી કરી રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial