Advertisement
Author: નોબત સમાચાર

જામનગર જિલ્લા પંચાયતના સભ્યના ભાઈનું હૃદયરોગના હુમલામાં મૃત્યુ

યુવાનોમાં વધતું હાર્ટએટેકનું પ્રમાણ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૫: જામનગર જિલ્લા પંચાયતના સદસ્યના નાનાભાઈનું હૃદય રોગના હુમલામાં મૃત્યુ થયું છે.

જામનગરમાં નાની વયના લોકોમાં હાર્ટએટેકનું પ્રમાણ સતત વધી રહ્યું છે.

જામનગરના ધ્રોલ તાલુકાના રોજીયા ગામના વતની અને જિલ્લા પંચાયતના સદસ્ય લખધીરસિંહ રતુભા જાડેજાના નાનાભાઈ જયપાલસિંહ રતુભા જાડેજા (ઉ.વ. ૪૭)નું ગત મંગળવારે હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું હતું.

તેવો લતીપુર ચોકડી પાસે કારમાં હતા ત્યારે તેમને છાતીમાં દુઃખાવો શરૂ થતાં પ્રથમ લતીપુર આરોગ્ય કેન્દ્ર અને ત્યારપછી ધ્રોલની સરકારી હોસ્પિટલમાં લઈ જવાયા હતાં. જ્યાં તેમનું મૃત્યુ નિપજ્યું હોવાનું તબીબોએ જાહેર કર્યું હતું.

આ બનાવની જાણ થતાં જ તેમના મિત્રો, સગા-સંબંધીઓ, શુભેચ્છકો પણ દોડી ગયા હતાં. તેમના વતન રોજીયા ગામે જયપાલસિંહની અંતિમયાત્રા નીકળી હતી, જેમાં અનેક આગેવાનો સહિતનાઓ જોડાયા હતાં. ત્યારે વાતાવરણ ભારે શોકમગ્ન જોવા મળ્યું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh