Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરમાં ગુરૂદ્વારા પાસે
જામનગર તા. રપઃ જામનગરમાં ગુરુદ્વારા નજીક નવા ફ્લાય ઓવરબ્રિજ નીચે 'વીર બાળ દિવસ'ની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે અને ગુરુ ગોવિંદસિંઘજીના શાહિબઝાદાઓના બલિદાનને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી રહી છે, જેને પ્રચંડ જન સમર્થન મળી રહ્યું છે અને સાહીબઝાદાઓના બલિદાનની ડોક્યુમેન્ટરી નિહાળવા માટે શહેરના અનેક મહાનુભાવો અને નાગરિકો મુલાકાત લઈ રહ્યા છે. દરમિયાન ગઈકાલે રાત્રે જામનગરના જિલ્લા કલેક્ટર શ્રી કેતન ઠક્કર તથા પોલીસ અધિકારીઓ પણ અહીં ગુરૂ ગોવિંદસિંઘજીના શાહીબઝાદાઓના બલિદાનની ડોક્યુમેન્ટરી ફિલ્મ નિહાળીને અભિભૂત થયા હતાં. સાથોસાથ સેલ્ફી વગેરેનું પણ નિરીક્ષણ કર્યું હતું, અને બાળ દિવસની ઉજવણીમાં સામેલ થયા હતાં. આ કાર્યક્મ તા. ર૮ ડિસેમ્બર સુધી આ સ્થળે રાત્રે ૭ થી ૧૦ સુધી ચાલુ રહેશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial