Advertisement
Author: નોબત સમાચાર

ક્લેઈમ રદ્દ કરનાર વીમા કંપનીને વ્યાજ સાથે વળતર ચૂકવવા આદેશ

ગ્રાહકે હોમલોન સાથે લીધી હતી પોલિસીઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૭: જામનગરના એક આસામીએ હોમલોનની સાથે લાઈફ ઈન્સ પોલિસી મેળવી હતી. તે પછી બીમારી થતાં વીમા કંપની સમક્ષ કલેઈમ કરાયો હતો. તેને રદ્દ કરાતા ગ્રાહક ફોરમમાં ફરિયાદ થઈ હતી. ફોરમે રૂ.ર૧ લાખ ઉપરાંતની રકમ વ્યાજ સાથે ચૂકવી આપવા વીમા કંપનીને હુકમ કર્યાે છે.

જામનગરના પ્રકાશ તુલસાની નામના આસામીએ એચડીએફસી પાસેથી હોમ લોન મેળવી હતી. આ વેળાએ કંપની દ્વારા વીમા પોલિસી પણ ઉતારવામાં આવી હતી.

ત્યારપછી પ્રકાશભાઈને ગયા વર્ષે છાતીમાં દુખાવો ઉપડતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં અને ત્યાંથી અમદાવાદ ખસેડાયા હતા. જ્યાં બાયપાસ સર્જરી કરાઈ હતી. તેથી પ્રકાશભાઈએ રૂ.ર૧૫૮૪૪૬નો ક્લેઈમ રજૂ કર્યાે હતો. તે ક્લેઈમ રદ્દ કરાયો હતો.

બેંક તથા વીમા કંપની સામે ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં ફરિયાદ કરાઈ હતી. તે ફરિયાદ ચાલી જતાં ફોરમે રૂ.ર૧પ૮૪૪૬ છ ટકા વ્યાજ સાથે ચૂકવી આપવા અને ફરિયાદ ખર્ચ અલગથી આપવા હુકમ કર્યાે છે. ફરિયાદી તરફથી વકીલ વસંત ગોરી, દીપક નાનાણી, નેહલ સંચાણીયા રોકાયા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh