Advertisement
Author: નોબત સમાચાર

ઈડી દ્વારા મનીલોન્ડ્રીંગ કેસમાં અનિલ અંબાણી ગ્રુપની રૂપિયા ૩૦૮૪ કરોડની સંપતિ કરાઈ જપ્ત

મુંબઈના પાલી હિલના નિવાસસ્થાન ઉપરાંત અનેક શહેરોના ફલેટો- ઓફિસ સહિતની પ્રોપર્ટીનો સમાવેશ

                                                                                                                                                                                                      

મુંબઈ તા. ૩: મની લોન્ડ્રીંગ કેસની તપાસ કરી રહેલી ઈડીએ આખરે અનિલ અંબાણી ગ્રુપની ૩૦૮૪ કરોડની સંપતિ જપ્ત કરી લીધી છે, અને દિલ્હી-નોઈડા- મુંબઈ- ગોવા- પૂર્ણ- હૈદ્રાબાદ-ચેન્નાઈમાં આવેલ ફલેટ- પ્લોટ, ઓફિસ સહિતની પ્રોપર્ટી કબ્જે લીધી છે. અનિલ અંબાણી અને તેમના રિલાયન્સ ગ્રુપ વિરૂદ્ધ મની લોન્ઠ્રીંગની તપાસ વેગવંતી બની છે. ૨૦,૦૦૦ કરોડના બેંક ફંડની હેરાફેરીનો આ હાઈપ્રોફાઈલ કેસ છે.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ અનિલ અંબાણીના રિલાયન્સ ગ્રુપ સામે મોટી કાર્યવાહી કરી છે. ગ્રુપની વિવિધ સંસ્થાઓની આશરે રૂ.૩,૦૮૪ કરોડની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. મની લોન્ડરિગ નિવારણ અધિનિયમની કલમ ૫(૧) હેઠળ ૩૧ ઓક્ટોબર, ૨૦૨૫ ના રોજ જપ્તીના આદેશો જારી કરવામાં આવ્યા હતા.

જપ્ત કરાયેલી મિલકતોમાં મુંબઈના બાંદ્રામાં પાલી હિલ સ્થિત તેમનું નિવાસસ્થાન પણ સામેલ છે.એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એ ૩,૦૮૪ કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ જપ્ત કરી છે. આમાં મુંબઈના પાલી હિલમાં અનિલ અંબાણીનું ઘર અને દિલ્હી, નોઈડા, મુંબઈ, ગોવા, પુણે, હૈદરાબાદ અને ચેન્નાઈ જેવા શહેરોમાં સ્થિત રિલાયન્સ કોમ્યુનિકેશન્સ અને રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડના ફલેટ, પ્લોટ અને ઓફિસનો સમાવેશ થાય છે.

સૂત્રોને ટાંકીને આપી રહેલા અહેવાલો મુજબ દિલ્હીમાં હોટેલ રણજીતમાં સ્થિત રિલાયન્સ સેન્ટર (અંબાણીનું કાર્યાલય) ઈડી દ્વારા જપ્ત કરાયેલી ઘણી મિલકતોમાંની એક છે. તે મહારાજા રણજીત સિહ માર્ગ પર સ્થિત છે અને રામલીલા મેદાન અને રણજીત સિહ ફલાયઓવર વચ્ચે ત્રણ એકરથી વધુ જમીનમાં ફેલાયેલું છે. કેન્દ્રીય એજન્સીએ રૂ.૨૦,૦૦૦ કરોડથી વધુના બેંક ભંડોળના કથિત દુરુપયોગના સંદર્ભમાં આ કાર્યવાહી કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ઈડીએ તેના જપ્તી આદેશમાં આરોપ લગાવ્યો છે કે અંબાણી ગ્રુપની કંપનીઓએ બેંક ભંડોળનો દુરુપયોગ કર્યો હતો. આ ભંડોળ શેલ કંપનીઓ અને જૂથની પોતાની કંપનીઓમાં ભંડોળના ગેરકાયદેસર ઉપાડને સરળ બનાવવા માટે વાળવામાં આવ્યું હતું.

સૂત્રોએ સંકેત આપ્યો છે કે કોર્પોરેટ લોનનો નોંધપાત્ર ભાગ આખરે રિલાયન્સ ગ્રુપની કંપનીઓના ખાતામાં ગયો હતો, જે મની લોન્ડરિગ રકમના પરિભ્રમણને સૂચવે છે. આગામી અઠવાડિયામાં વધુ મિલકતો જપ્ત થવાની અપેક્ષા છે.

ઈડીએ જુલાઈથી અંબાણી, તેમના સહયોગીઓ અને જૂથ કંપનીઓ પર અનેક દરોડા પાડ્યા છે, જેમાં તેમના મુંબઈ નિવાસસ્થાન પર દરોડાનો પણ સમાવેશ થાય છે. ૫ ઓગસ્ટના રોજ, તેમને દિલ્હી સ્થિત ઈડી મુખ્યાલયમાં બોલાવવામાં આવ્યા હતા અને પૂછપરછ કરવામાં આવી હતી. ઈડીની આ તપાસ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિગ એક્ટ હેઠળ હાથ ધરવામાં આવી રહી છે.

આ તપાસ સીબીઆઈ દ્વારા અંબાણી અને તેમની કંપનીઓ વિરુદ્ધ બેંક લોન છેતરપિડી માટે દાખલ કરાયેલી બે એફઆઈઆર પર આધારિત છે. અંબાણીને પહેલાથી જ દેશ છોડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. અંગારાય સેથુરામન સહિત તેમના ઘણા નજીકના સહયોગીઓની ઈડી દ્વારા પહેલાથી જ પૂછપરછ કરવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh