Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકાના રાંદલમાતાજીના મંદિરે આંબા મનોરથ તથા સત્યનારાયણની કથા યોજાશે

આગામી ૧૮મી મે ના આયોજન ઃ

                                                                                                                                                                                                      

દ્વારકા તા. ૧૦ઃ દ્વારકાના કક્લાસ કુંડ પાસે આવેલા અતિ પ્રાચીન શ્રી સૂર્યનારાયણદેવ તથા શ્રી રાંદલમાતાજીના મંદિરે તા. ૧૮-૫-૨૦૨૫ના સવારે ૧૦ થી સાંજે ૭ વાગ્યા સુધી આંબા મનોરથનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, સાથે-સાથે મંદિર પરિસરમાં બિરાજતા સત્યનારાયણ ભગવાન સન્મુખ સત્યનારાયણની કથાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. રાંદલ માતાજીની મહાઆરતી સાંજે ૭ઃ૩૦ કલાકે થશે. આ પ્રસંગે દ્વારકાની દરેક માતાઓ તથા બહેનોને ગરબા ગાવા માટે ખાસ આમંત્રણ છે. જેમને આંબા મનોરથમાં કેરી અર્પણ કરવી હોય તેમને ૧૬ મે અથવા ૧૭ મે ના સાંજ સુધીમાં કેરી માતાજીના મંદિરે જમા કરાવી આપવા આયોજકો દ્વારા જણાવાયું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh