Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મચ્છુ કઠીયા સઈ સુથાર દરજી જ્ઞાતિના
જામનગર તા. ૧૯: મચ્છુ કઠીયા સઈ સુથાર દરજી જ્ઞાતિના પડાણા પંથીના રાઠોડ પરિવાર દ્વારા કુળદેવી શ્રી ચામુંડા માતાજીનો ચૈત્રી નવરાત્રિ નવચંડી હોમાત્મક મહાયજ્ઞ તા. ૨૦-૦૩-૨૬ના શુક્રવારે પવનચક્કી પાસેના વેજુમા હોલમાં યોજવામાં આવેલ છે. યજ્ઞની પૂર્વ સંધ્યાએ તા. ૧૯ના રાત્રે ૮ કલાકે શ્રી ચામુંડા માતાજીનો શ્રૃંગાર દર્શન તેમજ રાસ ગરબાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.
તા. ૨૦ના સવારે ૮ કલાકથી માતાજીના મઢથી ચામુંડા માતાજીની શોભાયાત્રા અને પછી યજ્ઞનો પ્રારંભ બપોરે ૧૨ કલાકે હવન બીડું હોમવાનું અને બપોરે ૧૨:૩૦ કલાકે દાતાશ્રી,વિદ્યાર્થીઓનો સન્માન વિગેરે કાર્યક્રમ છે. કાર્યક્રમને સફળ બનાવવા સમગ્ર રાઠોડ પરિવાર જહેમત ઉઠાવી રહ્યા છે. તેમ નવચંડી હોમાત્મક મહાયજ્ઞ સમિતિના એન.ટી. રાઠોડએ જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial