Advertisement
Author: નોબત સમાચાર

માતા-પિતાના ઠપકાથી ઘર છોડીને નીકળી ગયેલી સગીરા મુંબઈ પહોંચી

જામનગર ખસેડી કબજો માતા-પિતાને સોંપાયોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૪: જામનગરના એક પરિવારની સગીર વયની પુત્રી માતા-પિતાના ઠપકાથી ઘર છોડીને નીકળી ગઈ હતી. તે સગીરાની મુંબઈમાંથી ભાળ મળી છે. જામનગર લાવી પોલીસે તેણીનો કબજો માતા-પિતાને સોંપ્યો છે.

જામનગરના એક વિસ્તારમાં વસવાટ કરતા પરિવારની કોલેજીયન પુત્રી ઘર છોડીને ચાલી ગઈ હતી. આ સગીરા મોબાઈલમાં મિત્રો સાથે વાત કરતી રહેતી હોવાથી માતા-પિતાએ ઠપકો આપતા તેણીએ ઘર છોડ્યું હતું.

આ બાબતની પોલીસને જાણ કરવામાં આવતા સિટી બી ડિવિઝનના સ્ટાફે પીઆઈ પી.પી. ઝાના માર્ગદર્શન હેઠળ તપાસ શરૂ કરી હતી. જેમાં આ સગીરા જામનગર રેલવે સ્ટેશન પરથી અમદાવાદની ટિકિટ ખરીદી અમદાવાદ તરફ ગઈ હોવાનું જણાઈ આવતા તેણીના સગડ દબાવાયા હતા.

અમદાવાદ પહોંચેલી પોલીસ ટીમે આ સગીરા મુંબઈ જતી ટ્રેનમાં નીકળી ગઈ હોવાનું જાણવા મળ્યું હતું. તેથી રેલવે પોલીસ સાથે સંકલનમાં રહી આ સગીરાને મુંબઈમાંથી પોલીસે પકડી લીધી હતી. જામનગર ખસેડવામાં આવ્યા પછી તે સગીરાનો કબજો માતા-પિતાને સોંપવામાં આવ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh