Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરમાં બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરે યોજાયું મહિલા સંમેલન
'છોટીકાશી'જામનગરમાં બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરે પૂ. મહંત સ્વામીની પાવન નિશ્રામાં વિરાટ મહિલા સંમેલન યોજાયું હતું. સંમેલનમાં શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી, ડે.મેયર ક્રિષ્નાબેન સોઢા, પૂર્વ મંત્રી વસુબેન ત્રિવેદી, રેન્જ ફોરેસ્ટ ઓફિસર દક્ષાબેન વઘાસીયા, બી.એ.પી.એસ. ના મોરબી ક્ષેત્ર સંયોજક ઉર્મિલાબેન આશર વગેરે મહિલા અગ્રણીઓ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. પ્રાર્થના અને મંગળાચરણથી ધર્મોત્સવનો આરંભ થયો હતો. બી.એ.પી.એસ.ની બાલિકા દ્વારા શ્રી સહજાનંદ નામાવલિ પર શાસ્ત્રીય નૃત્ય પ્રસ્તુતિ, ૫૬ યુવતીઓ દ્વારા અન્ય રાસની રજૂઆત તથા ૨૧ બાલિકાઓ દ્વારા એકપાત્રીય અભિનય, કીટ વગેરે પ્રસ્તૂતિ કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમમાં જામનગર ઉપરાંત ખંભાળીયા, ભાણવડ અને જામજોધપુર વગેરે ક્ષેત્રમાંથી ૫ હજારથી વધુ મહિલાઓ સામેલ થયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial