Advertisement
Author: નોબત સમાચાર

ઈન્ડિયન રેડક્રોસ-ખંભાળિયા દ્વારા રક્તદાન તથા નેત્ર નિદાન કેમ્પ સંપન્નઃ રરપ લોકો થયા લાભાન્વિત

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. પઃ ઈન્ડિયન રેસક્રોસ-ખંભાળિયા તથા ગાયત્રી ગરબા મંડળના આર્થિક સૌજન્યથી કાનજી ચતુ ધર્મશાળામાં રક્તદાન તથા નેત્ર નિદાન અને ચશ્મા વિતરણનો કેમ્પ યોજવામાં આવ્યો હતો. કેમ્પની શરૂઆત ડીવાયએસપી શ્રી માનસાતાના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી હતી. રેડક્રોસ ખંભાળિયાના ડિસ્ટ્રીકટ ચેરમેન કિરીટભાઈ મજીઠિયાએ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. સેક્રેટરી શૈલેષ કાનાણી અને ડીવાયએસપી માનસાતાએ આવા કાર્યો કરવા બદલ રેડક્રોસની ટીમને અને ગાયત્રી ગરબા મંડળને અભિનંદન પાઠવ્યા હતાં.

કેમ્પમાં ઘણાં યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું. રરપ દર્દીઓની આંખની તપાસ કરીને જરૂરિયાતમંદોને ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું. તમામ રક્તદાતાઓને સ્મૃતિભેટ તથા પ્રમાણપત્ર વડે સન્માનિત કરવામાં આવ્યા હતાં.

નેત્ર નિદાન કેમ્પમાં ડો. નિરવભાઈ રાયમગિયાએ સેવા આપી હતી. કેમ્પને સફળ બનાવવા ડિસ્ટ્રીક ચેરમેન કિરીટભાઈ મજીઠિયા, સેક્રેટરી શૈલેષ કાનાણી, ટ્રેઝરર મિલનભાઈ સાયાણી, વાઈસ ચેરમેન મૌલિકભાઈ વાયા, કારોબારી મેમ્બર્સ ધિરેનભાઈ મોટાણી, કરણભાઈ પંચમાતિયા, શ્રેયસભાઈ મજીઠિયા, નીમેશભાઈ બરછા તેમજ સર્વે રેડક્રોસ ચેમ્બર્સએ જહેમત ઊઠાવી હતી.

ડિસ્ટ્રીક્ટ ચેરમેન કિરીટભાઈ મજીઠિયાએ ગાયત્રી ગરબા મંડળના પ્રવિણભાઈ છગ, કિરીટભાઈ બકાલી તેમજ તેમની ટીમ તથા રક્તદાન કરનાર સર્વે રક્તદાતા અને સર્વે રેડક્રોસ મેમ્બર્સનો આભાર માન્યો હતો. નિશીત પાબારીએ આભારવિધિ કરી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh