Advertisement
Author: નોબત સમાચાર

ભાણવડ જઈ રહેલા બાઈકસવારને લલીયા પાસે છાતીમાં દુખાવો ઉપડ્યા પછી મૃત્યુ

દ્વારકા જિલ્લામાં હૃદયરોગના વધતા પ્રમાણથી ચિંતાઃ

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ૮: ખંભાળિયાના એક યુવાન ગઈકાલે બાઈક પર ભાણવડ જવા નીકળ્યા ત્યારે લલીયા ગામ પાસે છાતીમાં દુખાવો ઉપડતા અને ઉલ્ટી-ઉબકા થવા લાગતા દવાખાને ખસેડાયા હતા. આ યુવાનનું મૃત્યુ નિપજ્યું છે. વધુ એક યુવાને હૃદયરોગના કારણે પોતાની જિંદગી ગૂમાવી છે. મૃતકના પત્ની હાલમાં સગર્ભા હોવાનું જાણવા મળ્યું છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના યુવાવર્ગમાં હૃદયરોગના પ્રમાણના વધવાથી ચિંતા વ્યાપી છે. અગાઉ પણ કેટલાક યુવાનો હૃદયરોગના હુમલાનો ભોગ બની ગયા પછી વધુ એક યુવાન મોતને શરણ થયો છે.

વધુ મળતી વિગત મુજબ ખંભાળિયા શહેરમાં એસટી ડેપો પાસે વસવાટ કરતા હીરેનભાઈ વિરજીભાઈ નડિયાપરા (ઉ.વ.ર૭) નામના પ્રજાપતિ યુવાન ગઈકાલે સવારે પોતાના બાઈક પર ખંભાળીયાથી ભાણવડ જવા માટે નીકળ્યા હતા. તેઓ જ્યારે લલીયા ગામના પાટીયા પાસે પહોંચ્યા ત્યારે ઉલ્ટી-ઉબકા થવા લાગતા અને છાતીમાં દુખાવો ઉપડતા આ યુવાનને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેઓનું મૃત્યુ નિપજ્યું છે.

આ બાબતની પોલીસને તેમના પિતા વિરજીભાઈ ધરમશીભાઈ નડિયાપરાએ જાણ કરી છે. પરિણીત એવા આ યુવાનના પત્ની હાલમાં સગર્ભા હોવાનું જાણવા મળી રહ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh