Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના ગીતા વિદ્યાલયમાં ૧૦મીએ ગુરૂપૂર્ણિમા મહોત્સવ

ગીતા પાઠ- ભજન સંધ્યા સહિતના કાર્યક્રમો

                                                                                                                                                                                                      

જામનગર તા.૮: જામનગરના કાશી વિશ્વનાથ રોડ પર સ્થિત અને મનહરલાલજી મહારાજ સ્થાપિત સેવા સંસ્થા ગીતા વિદ્યાલય- ગીતા મંદિરમાં તા. ૧૦ને ગુરૂવારે સવારે ૯ થી ૧૧ વાગ્યા દરમિયાન ગુરૂપૂર્ણિમા મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. જેમાં ગીતા વિદ્યાલયના પ્રાર્થના સત્સંગ સભાખંડમાં ભગવદ્ગીતાના અધ્યાય ૧૨ અને ૧૫ના સામૂહિક ગીતાપાઠ, ભજન સંધ્યા, ગુરૂમહિમા વિષે પ્રેરક ઉદ્બોધન, વિશ્વગુરૂ ભગવદ્ ગીતા, શ્રી કૃષ્ણ પરમાત્મા અને સદ્ગુરૂદેવનું મંત્રોચ્ચાર સાથે પૂજન-અર્ચન, સંકીર્તન, સમષ્ટીના કલ્યાણની પ્રાર્થના તેમજ સંસ્થાની વર્ષભરની પ્રવૃત્તિઓનો અહેવાલ તથા આગામી આયોજનોની માહિતી આપશે. આ કાર્યક્રમમાં સહભાગી થવા સર્વે ભાવિકોને ગીતા વિદ્યાલય પરિવારે અનુરોધ કર્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh