Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શ્રી પ્રેમભિક્ષુજી મહારાજ પ્રેરિત
દ્વારકા તા. ૫ઃ દ્વારકાના હરિનામ સંકીર્તન મંદિરે તા. ૧૦મી જુલાઈએ ગુરૂપૂર્ણિમા મહોત્ત્સવની પરંપરાગત ઊજવણી કરાશે. દ્વારકામાં પ્રેમભિક્ષુજી મહારાજ પ્રેરિત અખંડ હરિનામ સંકિર્તન (રામધૂન) મંદિરમાં આગામી અષાઢ સુદ પૂર્ણિમા તા. ૧૦-૭-૨૫ ને ગુરૂવારના રોજ ગુરૂપૂર્ણિમા મહોત્સવની પરંપરાગત રીતે ઊજવણી કરવામાં આવશે. તા. ૧૦મી એ ગુરૂવારે સંકીર્તન મંદિરે યોજાનાર પ્રસંગોમાં સવારે ૫ઃ૩૦ કલાકે પ્રભાતફેરી, સવારે ૧૦ થી ૧૨ વાગ્યા સુધી અભિષેક પૂજન આરતી, બપોરે ૧૨ઃ૩૦ કલાકે ગુરૂપૂજન, બપોરે ૧ઃ૦૦ કલાકે ગુરૂપ્રસાદી (ગુ.બ્રા. બ્રહ્મપુરી નં.૧ માં) તેમજ નગર સંકીર્તન સાંજે ૬ઃ૩૦ કલાકથી યોજાશે. આ ઉપરાંત તા. ૫ જુલાઈ થી તા. ૯ જુલાઈ સુધી વિશેષ રામધૂનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર ધાર્મિક મહોત્ત્સવને સફળ બનાવવા હરિનામ સંકીર્તન મંદિરના ટ્રસ્ટીગણ તેમજ કાર્યકરો તથા સેવાભાવી સ્વયંસેવકો જહેમત ઉઠાવી રહ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial