Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૧૦૮ તથા પોલીસ દોડી ગયા
ખંભાળિયા તા. ૮: ખંભાળિયા નજીકના દાતા ગામની ગોલાઈમાં આજે બપોરે એક સ્કૂટર આડે પશુ ઉતરતા સર્જાયેલા અકસ્માતમાં જામનગરના એક યુવતિનું મૃત્યુ નિપજયું છે.
જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર આવેલા આરાધના ધામ નજીકના દાતા ગામની ગોલાઈમાં આજે બપોરે એકસેસ સ્કૂટર પર પસાર થઈ રહેલા જામનગરના રાધિકાબેન વિઠ્ઠલાણી (ઉ.વ. ૨૭) નામના યુવતીને અકસ્માત નડયો હતો.
તેમના સ્કૂટર આડે કોઈ પશુ ઉતરતા સર્જાયેલા અકસ્માતમાં રાધિકાબેનને ગંભીર ઈજા થવાથી તેઓનુ મૃત્યુ નિપજયુ છે. બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial