Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના રંગમતિ નદી પટમાં એક બંગલા ટાઈપ મકાન તોડી પડાયું

મહાનગરપાલિકાની કામગીરી

                                                                                                                                                                                                      

જામનગર તા. ૪: જામનગરમાં રંગમતિ નદીમાં થયેલ દબાણો દૂર કરાયા હતાં જેમાં બાકી રહેલ એક બંગલા ટાઈપ મકાનને ગઈકાલે તોડી પાડવામાં આવ્યું હતું.

જામનગર મહાનગરપાલિકા દ્વારા છેલ્લા ત્રણેક માસથી ગેરકાયદે અને ડી.પી. કપાત અન્વયે પાડતોડ કામગીરી કરવામાં આવી રહી છે. ખાસ કરીને નદીના પટમાં અને પાણીના વહેણને અવરોધતા કાચા-પાકા મકાનોને તોડી પાડવામાં આવ્યા હતાં. આ સમયે નદીના પટમાં એક-બે માળનું બંગલા ટાઈપ મકાન તોડવાનું બાકી રહી ગયું હતું. જેને ગઈકાલે વરસાદી વાતાવરણ વચ્ચે મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાની ટીમ દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું.

એસ્ટેટ શાખાની ટીમ જેસીબી સાથે પહોંચી અને વરસાદી માહોલ છતાં બે ગ્રાઉન્ડ ફ્લોર અને ઉપરના બે માળને તોડી પાડવામાં આવ્યા હતાં અને સંપૂર્ણ જગ્યા ખાલી કરાવાઈ હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh