Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શ્રી શંકરાચાર્ય જનરલ હોસ્પિટલ અને ઈટ્રા દ્વારા
દ્વારકા તા. ૧પઃ શ્રી દ્વારકા શારદાપીઠાધિશ્વર જગદ્ગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજ પ્રેરિત શ્રી જનરલ આયુર્વેદ હોસ્પિટલ, વરવાળા અને ઈટ્રા (જામનગર આયુર્વેદ હોસ્પિટલ) આયુષ મંત્રાલય ભારત સરકારના સંયુક્ત ઉપક્રમે તા. ૧૭ ને શનિવારે સવારે ૧૦ થી ૧ વાગ્યા સુધી ટી.બી. સેનેટોરિયમ બિલ્ડિંગ વરવાળામાં વિનામૂલ્યે આયુર્વેદ સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ઓખામંડળ તાલુકાના જરૂરતમંદ નવા-જુના તમામ પ્રકારના દર્દીઓને આ નિદાન શિબિરનો લાભ લેવા અનુરોધ છે.
ઈટ્રા જામનગર (આયુષ મંત્રાલય ભારત સરકાર) ના જુદા જુદા રોગોના નિષ્ણાત આયુર્વેદ ડોક્ટરો સેવા આપશે અને ઉપલબ્ધ દવાઓ ઈટ્રા તરફથી આપવામાં આવશે.
અત્રે ઉલ્લેખનિય છે કે, શ્રી વરવાળા ટી.બી. સેનેટોરિયમ સંચાલિત શ્રી શંકરાચાર્ય જનરલ નિઃશુલ્ક આયુર્વેદ ઔષધાલય, વરવાળામાં કાર્યરત છે. હાલમાં શિયાળાની ઠંડીએ જમાવટ કરેલ છે, ત્યારે શિયાળામાં શું શું ખાવું-પીવું વિગેરેની માર્ગદર્શન આપતી રસપ્રદ પત્રિકાઓ પણ આપવામાં આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial