Advertisement
Author: નોબત સમાચાર

યુવાનની હત્યાના આરોપમાં જેલહવાલે થયેલા મહિલા આરોપીના જામીન મંજૂર

દિગ્જામ સર્કલ પાસે થઈ હતી હત્યાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૯ઃ જામનગરના દિગ્જામ સર્કલ પાસેથી એક યુવાનનો લોહી થી લથપથ મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે તેની હત્યા કરવાના ગુન્હામાં એક મહિલા સહિતના આરોપીની ધરપકડ કરી હતી. જેલહવાલે થયેલા આરોપી પૈકી મહિલા એ જામીનમુક્ત થવા કરેલી અરજી કોર્ટે મંજૂર રાખી છે.

જામનગરના દિગ્જામ સર્કલ નજીકથી થોડા દિવસ પહેલાં સિદ્ધાર્થનગરમાં રહેતા અને રિક્ષા ડ્રાઈવીંગ કરતા કાનજીભાઈ ધનજીભાઈ પરમાર નામના યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. આ યુવાનની અગાઉની માથાકૂટ ના કારણે હત્યા કરાઈ હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે તપાસ દરમિયાન હીતેન દેપાળ મકવાણા, પ્રકાશ પરમાર, દિલીપ પરમાર, મનીયો દેવશી મકવાણા, આશિષ દેવશી વારસાકીયા, હીનાબેન મકવાણા સામે ગુન્હો નોંધી આરોપીઓની ધરપકડ કરી હતી. જેલહવાલે થયેલા આરોપી પૈકીના હીનાબેન દેપાળ મકવાણાએ જામીન અરજી કરતા અદાલતે તેને જામીન પર છોડવાનો હુકમ કર્યાે છે. આરોપી તરફથી વકીલ કે.પી. આશર, આનંદ ગોહિલ રોકાયા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh