Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળિયા નગરપાલિકાને સ્વર્ણિમ જયંતી યોજના હેઠળ રૂ. ૧ર કરોડની ફાળવણી

અગાઉ માત્ર ચારેક કરોડની ગ્રાન્ટ જ ફાળવાતી હતીઃ

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ૩: ખંભાળિયા નગરપાલિકા 'સી' ગ્રેડમાંથી 'એ' ગ્રેડમાં આવી જતાં નગરપાલિકાને રાજ્ય સરકાર દ્વારા સ્વર્ણિમ જયંતી યોજના હેઠળ રૂ.  ૧ર કરોડની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી છે.

અગાઉ ખંભાળિયામાં વિકાસ કાર્યો કરવા માટે માત્ર ચારેક કરોડની ગ્રાંટ ફાળવાતી જે મળતા પાલિકાના સદસ્યો પાસેથી કામોના સૂચનો મંગાતા કામ વધુ અને પૈસા ઓછા જેમાં કેટલાક કામો પેન્ડીંગ રાખવા પડતા હતાં, પરંતુ હવે અગાઉ સાતેક કરોડની વાર્ષિક ગ્રાન્ટ સામે હવે ર૪ કરોડ જેટલી વાર્ષિક આવક થતા વિકાસ કાર્યો વધુ થઈ શકશે, જેની પાલિકામાં જરૂરી આધુનિક સાધનો, સગવડો પણ વધશે તથા રોડ-રસ્તા અને આરોગ્ય વિષયક સવલતો માટેની પણ વ્યવસ્થા થશે. આ ઉપરાંત ઉપલબ્ધ નાણા પંચોની પણ કરોડોની ગ્રાન્ટની આવક ખંભાળિયા પાલિકાને થશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh