Advertisement
Author: નોબત સમાચાર

મહાનગરપાલિકા વિપક્ષ દ્વારા જામનગર શહેરમાં બિસ્માર માર્ગો તથા પાર્કિંગ-ગંદકી સહિતના પ્રશ્નો અંગે આવેદન

વિપક્ષના સભ્યોએ મેયરની ચેમ્બરના દરવાજે ચલણી નોટનો હાર પહેરાવી ભ્રષ્ટાચાર અંગે વિરોધ પ્રદર્શન કર્યું:

                                                                                                                                                                                                      

જામનગર તા. ૯: જામનગર શહેરમાં મામુલી વરસાદમાં જ લગભગ રસ્તાઓ ધોવાઈ ગયા છે. ભ્રષ્ટાચાર તથા કોન્ટ્રાક્ટરો સાથે મીલીભગતના કારણે તદ્ન હલકી ગુણવત્તાના કામો થતા હોવાથી રસ્તાઓ અત્યંત બિસ્માર થઈ ગયા છે.

તળાવમાં પાણીના સ્ત્રોત સમાન કેનાલમાં ઉદ્યોગોના કેમિકલવાળા પાણી આવી રહ્યા છે. પ્રિ-મોન્સુન કામગીરીમાં મોટાપાયે ભ્રષ્ટાચાર થયો છે અને કામગીરી માત્ર કાગળ ઉપર જ થઈ છે. મોટાભાગની કેનાલો ગંદકી અને કચરાથી ભરાયેલી છે.

જામનગરમાં મોટી ઈમારતોમાં પાર્કિંગની સુવિધા વગર જ બાંધકામની મંજુરી ભ્રષ્ટાચારના કારણે મળી જાય છે. જેથી જાહેર જનતાને વાહનો પાર્ક કરવામાં મુશ્કેલી વેઠવી પડે છે અને ટ્રાફિકના નિયમભંગ બદલ દંડ ભરવા પડે છે.

આ તમામ પ્રશ્નો અને આક્ષેપો સાથે વિપક્ષના નેતા ધવલભાઈ નંદા તથા કોંગ્રેસના કોર્પોરેટરોએ મહાનગરપાલિકા કચેરીમાં મેયરની ચેમ્બર બહાર દરવાજા ઉપર ચલણીનોટોનો હાર પહેરાવી ભ્રષ્ટાચાર વિરોધી પ્રદર્શન કર્યું હતું. આ ઉપરાંત સ્થાયી સમિતિના અધ્યક્ષને પણ રૂબરૂ આવેદનપત્ર સુપરત કરી ઉગ્ર રજૂઆત કરી હતી. આ કાર્યક્રમમાં કોંગ્રેસના કોર્પોરેટરો, કોંગ્રેસ શહેર પ્રમુખ દિગુભા જાડેજા, કોંગ્રેસના અન્ય આગેવાનો, કાર્યકર્તાઓ જોડાયા હતાં અને સૂત્રોચ્ચાર કર્યા હતાં.

જો વહેલી તકે પ્રશ્નો નહીં ઉકેલાય તો આગામી દિવસોમાં આંદોલન કરવામાં આવશે તેવી ચિમકી આપવામાં આવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh