Advertisement
Author: નોબત સમાચાર

ત્રિદિવસીય વૈશ્વિક સંગોષ્ઠિમાં રજૂ થયા શોધપત્રો

શારદાપીઠના પ્રાંગણમાં આયોજીત

                                                                                                                                                                                                      

દ્વારકામાં *વેદોની આધુનિકતા* શિર્ષક હેઠળ ત્રિદિવસીય વૈદિક સંગોષ્ઠિમાં વિદ્વાનોએ વેદના સર્વાંગીણ પ્રસંગ રજૂ કર્યા હતાં. જગદ્ગુરુ શંકરાચાર્ય મહારાજની અધ્યક્ષતામાં અને બ્રહ્મચારી શ્રી નારાયણાનંદજીના માર્ગદર્શનથી શ્રી દ્વારકા શારદા પીઠના પ્રાંગણમાં આયોજિત ત્રિદિવસીય વૈદિક સંગોષ્ઠિના દ્વિતીય દિવસે વિદ્વાનો દ્વારા વેદોમાં જ્ઞાન, વિજ્ઞાન, ચિકિત્સા પદ્ધતિ, આયુર્વેદ, ભારતીય દર્શનશાસ્ત્ર, વ્યક્તિત્વનિરૂપણ, ભાષા વિજ્ઞાન, સાહિત્ય, પ્રકૃતિ દર્શન, આધુનિકતા, સદગુણ, સદવિવેક, સદાચાર, રાજનીતિ અને અર્થતંત્ર જેવા વિવિધ વિષયો પર શોધપત્રો રજૂ કરવામાં આવ્યા હતાં. તથા કવિઓ દ્વારા કાવ્ય પઠન થયું હતું. સંગોષ્ઠિમાં દેશભરના વેદ-વિદ્વાનો, સંસ્કૃત પંડિતો, શિક્ષાવિદો અને સંશોધકોએ ભાગ લીધો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh