Advertisement
Author: નોબત સમાચાર

પતિને બીજે પરણાવી દેવાની વાત કરાતા મહિલાએ પી લીધું જલદ પ્રવાહી

પતિ સહિતના છ સામે પોલીસમાં કરાઈ ફરિયાદઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૯: જામનગરના એક પરિણીતાએ પતિ, સાસુ-સસરા સહિત છ વ્યક્તિના ત્રાસથી સપ્તાહ પૂર્વે જલદ પ્રવાહી પી લીધું હતું. સારવારમાં ખસેડાયેલા આ મહિલાએ લગ્નના અગિયાર વર્ષ દરમિયાન ઉપરોક્ત સાસરિયાઓએ ત્રાસ આપતા કંટાળીને પ્રવાહી પીધાની કેફિયત આપી છે. પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

જામનગરના સાંઢીયા પુલ પાસે આવેલી દ્વારકેશ સોસાયટીની શેરી નં.રમાં રહેતા નવીનભાઈ જેઠાભાઈ સોનગરા સાથે અગિયાર વર્ષ પહેલાં વસંતબેન (ઉ.વ.૩૩)ના લગ્ન થયા હતા. ત્યારપછી નવીનભાઈને તેના પિતા જેઠાભાઈ, માતા શાંતિબેન તેમજ કિશોર જેઠાભાઈ અને ગૌરીબેન કિશોરભાઈ તને બીજી છોકરી સાથે પરણાવી દઈશું તેમ કહી વસંતબેનને ત્રાસ આપતા હતા.

ઉપરોક્ત વ્યક્તિઓની ચઢામણીથી નવીનભાઈ અવારનવાર મારકૂટ પણ કરતા હતા. જેમાં આમરા ગામના વિજયાબેન નંદાભાઈ પણ ત્રાસ આપતા હતા. તેનાથી કંટાળી જઈ ગઈ તા.૩૦ની બપોરે વસંતબેને પોતાના ઘરે કોઈ ઝેરી દવા ગટગટાવી લીધી હતી. આ મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસ સમક્ષના નિવેદનમાં વસંતબેને કેફિયત આપતા પોલીસે તેના પરથી પતિ સહિતના છએય સામે ગુન્હો નોંધ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh