Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મૃતકના પુત્રનું નિવેદન નોંધાયું:
જામનગર તા. ૮: જામનગરના અંધાશ્રમ રેલવે ફાટક પર દસેક દિવસ પહેલાં એક વૃદ્ધ કોઈ રીતે માલગાડી હડફેટે ચઢી ગયા હતા. ગંભીર ઈજા પામેલા આ વૃદ્ધનું સારવારમાં મૃત્યુ નિપજ્યું છે.
જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારની શેરી નં.૫૫ માં વિશ્રામવાડી ચોકમાં રહેતા વિજયભાઈ માધવદાસ નાથાણી નામના સાંઈઠ વર્ષના વૃદ્ધ ગઈ તા.ર૬ની બપોરે બે વાગ્યે અંધાશ્રમ નજીક આવેલા રેલવે ફાટક પાસે પહોંચ્યા પછી ત્યાંથી પસાર થતી માલગાડીની ઠોકરે ચઢી ગયા હતા.
ગંભીર ઈજા પામેલા આ વૃદ્ધને સારવારમાં ખસેડવામાં આવ્યા પછી તેઓનું ગઈકાલે જી.જી. હોસ્પિટલમાં મૃત્યુ નિપજ્યું છે. તેમના પુત્ર ભાવિન નાથાણીએ પોલીસને જાણ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial