Advertisement
Author: નોબત સમાચાર

જામનગરની હોટલમાં પરપ્રાંતીય યુવાને અકળ કારણથી ખાઈ લીધો ગળાફાંસો

કારણ જાણવા પોલીસ દ્વારા શરૂ કરાઈ તપાસઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૬: જામનગરના તીનબત્તી વિસ્તારમાં આવેલી એક હોટલમાં ઉતરેલા ઉત્તરપ્રદેશ રાજયના એક યુવાને શનિવારે રાત્રે હોટલના રૂમમાં જ કોઈ અકળ કારણથી લુંગી વડે ગળાફાંસો ખાઈ લેતા પોલીસ દોડી આવી હતી. પોલીસે આ યુવાનની આત્મહત્યાનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.

જામનગરના તીનબત્તી વિસ્તારથી આગળ આવેલા પેનોરમા કોમ્પલેક્ષમાં આવેલી હોટલ હાર્મનીમાં ઉત્તરપ્રદેશના મથુરા જિલ્લાના આઝમાબાદ ગામમાંથી આવીને નંદકિશોર રઘુવીરસિંગ નામનો યુવાન ઉતર્યાે હતો.

આ યુવાને શનિવાર પહેલા તે હોટલમાં રૂમ નં.૨૦૭ રાખ્યા પછી શનિવારે રાત્રે દસેક વાગ્યે તે હોટલના રૂમમાં કોઈ અકળ કારણથી ગળાફાંસો ખાઈ લીધો હતો.

તે ઉતારૂના રૂમનું બારણું લાંબા સમય સુધી બંધ રહેવા પામતા હોટલ સ્ટાફે તપાસ કર્યા પછી મેનેજર વિજય પોલાભાઈ બલવાએ જાણ કરી હતી. મેનેજરે તે રૂમ ખોલાવતા તેમાંથી નંદકિશોર (ઉ.વ.ર૪) ગળાફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યો હતો. બનાવની પોલીસને જાણ કરાતા સિટી બી ડિવિઝનના પીએસઆઈ કે.એન. જાડેજા તથા સ્ટાફ દોડી ગયા હતા. પોલીસે મૃતદેહને નીચે ઉતારી પીએમ માટે ખસેડ્યો છે. આ યુવાને હોટલમાં આપેલા સરનામાના પ્રૂફ પરથી પોલીસે તેના પરિવારને જાણ કરી છે અને આ યુવાનની આત્મહત્યાનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh