Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કાલાવડ શહેર પોલીસની જહેમતને સફળતાઃ
જામનગર તા. ૯: કાલાવડના સરવાણીયા ગામના એક યુવાન પોતાના ઘરેથી ખેતરે જવાનું કહીને નીકળ્યા પછી ગુમ થઈ ગયા હતા. તેની કરાઈ રહેલી શોધખોળમાં આ યુવાન મહિસાગર જિલ્લાના સંતરામપુર ગામમાંથી મળી આવ્યા છે.
કાલાવડ તાલુકાના સરવાણીયા ગામના ચંદુભાઈ માવજીભાઈ વઘેરા (ઉ.વ.૪૦) નામના યુવાન પોતાના ઘરેથી ખેતરે જવાનું કહીને ગુમ થઈ ગયા હોવાનું તેમના પત્ની દક્ષાબેને પોલીસમાં જાહેર કર્યું હતું.
આ યુવાનની શોધ પોલીસે શરૂ કરી હતી. તેના વર્ણન તથા ફોટાના આધારે કરાઈ રહેલી તપાસમાં ચંદુભાઈ મહિસાગર જિલ્લાના સંતરામપુરમાંથી મળી આવ્યા હતા. ત્યાં ધસી ગયેલી કાલાવડ શહેર પોલીસની ટીમે ચંદુભાઈને કાલાવડ ખસેડી તેમના પત્ની સાથે મિલાપ કરાવી આપ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial