Advertisement
Author: નોબત સમાચાર

નંદાણા-વેણુ ડેમ, અલિયાબાળા- વિજરખી રોડ તથા બાલાચડી એપ્રોચ રોડનું કામ પૂર્ણ

માર્ગ અને મકાન વિભાગ, જામનગર દ્વારા

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૪: જામનગર જિલ્લાના નંદાણાથી વેણુ ડેમ, અલિયાબાળા-વિજરખી રોડ તેમજ બાલાચડી એપ્રોચ રોડનું કામ માર્ગ અને મકાન વિભાગ દ્વારા પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. આ અંગે માહિતી આપતા માર્ગ અને મકાન વિભાગ, જામનગરના કાર્યપાલક ઈજનેર શ્રી વિજય ગૌસ્વામીએ જણાવ્યું હતું કે નંદાણાથી વેણુ ડેમ સુધીનો માર્ગ તથા બાલાચડી એપ્રોચ રોડનું કામ ચોક્કસ સમયમર્યાદામાં અને ચોક્કસ ગુણવત્તાના માપદંડો જાળવીને પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. આ માર્ગો હવે વાહનચાલકો માટે વધુ સલામત અને સરળ બનશે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ માર્ગોનું નવીનીકરણ અને સમારકામ પૂર્ણ થવાથી આ વિસ્તારના ગ્રામજનો, વિદ્યાર્થીઓ તેમજ પ્રવાસીઓ માટે સુવિધામાં વધારો થશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh