Advertisement
Author: નોબત સમાચાર

જામ્યુકોની ટીમોએ ગેરકાયદે વેચાતો ૧૫૬૦૦ કિલો ઘાસચારો જપ્ત કરી રૂપિયા ૧૧૫૦૦ નો દંડ વસૂલ્યો

પશુ નિયંત્રણ પોલિસી હેઠળ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૯: જામનગર શહેરમાં પશુ નિયંત્રણ પોલિસીની અમલવારી કરવાના અનુસંધાને કમિશ્નરની સૂચના અન્વયે નાયબ કમિશ્નર તથા સિટી ઈજનેરના માર્ગદર્શન હેઠળ ગેરકાયદે ઘાસચારો વેંચાણ કરતા ધંધાર્થીઓનો ઘાસચારો જપ્તીકરણની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં મહાનગરપાલિકા દ્વારા અલગ-અલગ ટીમો મારફત અંદાજે ૧૫૬૦૦ કિલો જેટલો ઘાસચારો જપ્ત કરી, રૂ. ૧૧૫૦૦ દંડ વસુલ કરવામાં આવ્યો છે.

ઘાસ વેંચાણ કરતા ધંધાર્થીઓએ કેટલ પોલિસી અંતર્ગત લાયસન્સ/પરમીટ મેળવવાની રહેતી હોવા છતાં તેઓ દ્વારા ધોરણસર લાયસન્સ/પરમીટ લેવામાં આવેલ ન હોવાથી મનપા દ્વારા શહેરમાં ગેરકાયદેસર ઘાસચારો વેંચાણ બંધ કરાવવા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.

જાહેર રોડ રસ્તા પર ઘાસચારો નાખવાથી પશુઓ ભેગા થવા અને ટ્રાફિકની સમસ્યા, અકસ્માત થવાનો ભય રહેતો હોય, જાહેર જનતાને રોડ રસ્તાઓ ઉપર ઘાસચારો ન નાખવા અપીલ કરવામાં આવી છે, તદુપરાંત લોકોએ ઘાસચારો દાન કરવો હોય તો જેે.એમ.સી.કનેકેટ એપ. મારફત દાન આપવા અથવા મહાનગરપાલિકા હસ્તકની ગૌશાળાઓમાં દાન કરવા મનપા દ્વારા અપીલ કરવામાં આવે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh