Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બીમાર- ઘાયલ પશુઓની સારવાર કેમ્પ, તાલીમ શિબિરો, જાગૃતિ શિબિરો યોજાશે
જામનગર તા. ૧૫: જામનગર જિલ્લામાં તા.૧૪ જાન્યુઆરીથી શરૂ થયા પછી હવે ૧૩ ફેબ્રુઆરી સુધી પશુપાલન અને પ્રાણી કલ્યાણ જાગૃતિ માસ-૨૦૨૬ની ઊજવણી કરવામાં આવશે. પશુપાલન સંસ્થાઓ દ્વારા બીમાર અને ઘાયલ પશુઓ માટે સારવાર કેમ્પ તથા લોકોને પ્રાણી કલ્યાણના મુદ્દાઓ અંગે જાગૃતિ લાવવા માર્ગદર્શન આપવામાં આવશે
જામનગર જિલ્લામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ તા. ૧૪/૦૧/૨૦૨૬ થી તા.૧૩/૦૨/૨૦૨૬ સુધી *પશુપાલન અને પ્રાણી કલ્યાણ જાગૃતિ માસ-૨૦૨૬ની ઉજવણી કરવામાં આવી રહી છે. આ આખા મહિના દરમિયાન જામનગરની પ્રાણી કલ્યાણ સંસ્થાઓ અને સંબંધિત લોકો દ્વારા પ્રાણી કલ્યાણનો પ્રચાર તથા પશુપાલન અને પ્રાણી કલ્યાણ જાગૃતિ માસ-૨૦૨૬ની ઉજવણી કરવા નાયબ પશુપાલન નિયામકે જણાવ્યું કે આ સમય દરમ્યાન પશુપાલન ખાતા/સંસ્થાઓ દ્વારા બીમાર અને ઘાયલ પશુઓ માટે સારવાર કેમ્પ, વંધ્યત્વ નિવારણ કેમ્પ, એન્ટી રેબીસ કંટ્રોલ પ્રોગ્રામ, તાલીમ, શિબિર કરવામાં આવનાર છે. જેમાં પ્રાણી કલ્યાણ અને પ્રાણીઓ પ્રત્યે પ્રેમ, પ્રાણી કલ્યાણ તથા પ્રાણી ક્રુરતા નિવારણ અંગેના કાયદા, દયા રાખવા મહત્ત્વ આપવું અને પ્રાણીઓની આપણા જીવનમાં ઉપયોગીતા વિશે ચર્ચાઓ તેમજ સૂચન તથા માર્ગદર્શન આપવામાં આવશે.
રસ્તામાં રખડતા પ્રાણીઓ ખોરાકમાં પ્લાસ્ટિકની કોથળીઓ ખાય છે. તેથી આવી કોથળીઓ ખાવાના કારણે પશુના આરોગ્યને ખૂબજ નુકસાન થાય છે. કેટલાક સંજોગોમાં પશુનું મૃત્યુ પણ થવાની શક્યતા રહેલ છે. માટે સૌ નાગરિકો ઘરનો કચરો, રસોડાનો વધેલો ખોરાક એઠવાડ પ્લાસ્ટિકની કોથળીમાં ભરીને જાહેર રસ્તા પર ન ફેંકવા તેમજ ફળો અને શાકભાજીના વેપારીઓ દ્વારા વપરાતી પ્લાસ્ટિકની થેલીઓ કચરા સાથે ન નાંખવા સભ્યસચિવ પ્રાણી ક્રૂરતા નિવારણ સોસાયટી તથા નાયબ પશુપાલન નિયામક જિલ્લા પંચાયત જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial