Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧૭: ઓખામંડળના આરંભડા નજીક ચીખલી તળાવમાંથી ગઈકાલે સવારે પીસ્તાલીસેક વર્ષની વયના લાગતા અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે. તેને પીએમ માટે ખસેડી પોલીસે મૃતકની ઓળખ મેળવવા તજવીજ આરંભી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામંડળમાં આવેલા આરંભડા નજીક ચીખલી તળાવમાં ગઈકાલે સવારે એક યુવાન ડૂબતા જોવા મળતા ઈન્દિરાનગરમાં રહેતા અને ઓખા નગરપાલિકાના સદસ્ય ચેતનભાઈ મોરીએ પોલીસને જાણ કરી હતી.
જાણના પગલે દોડી ગયેલી મીઠાપુર પોલીસે તળાવમાંથી પીસ્તાલીસેક વર્ષની વયના લાગતા એક અજાણ્યા યુવાનને બહાર કાઢયા હતા. આ યુવાન વધુ પડતું પાણી પી જતા મૃત્યુ પામેલા જણાઈ આવ્યા હતા અને તેમનો દેહ પણ કોહવાઈ ગયો હતો. પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડી મૃતકની ઓળખ મેળવવા તપાસ શરૂ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial