Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧૬: જામનગરમાં નવરાત્રિથી વાતાવરણમાં બદલાવ થયો છે. નગરસિમ તથા ગ્રામ્ય વિસ્તારોમાં સાંજે ૬ વાગ્યાથી વહેલી સવાર સુધી ગુલાબી ઠંડીનો અનુભવ થાય છે, અને સવારે સૂર્યદેવતા ઉદીત થયા પછી ધીમે-ધીમે વાતાવરણમાં ગરમી પ્રસરવા લાગે છે. ઠંડી અને ગરમીભર્યા મિશ્ર વાતાવરણના દોર વચ્ચે આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન અડધા ડીગ્રીના ઘટાડા સાથે મહત્તમ તાપમાન ૩૩.પ ડીગ્રી અને બે ડીગ્રી ઘટીને લઘુતમ તાપમાન ર૦ ડીગ્રી નોંધાયું હતું. જામનગરના વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૧૭ ઘટીને ૬પ ટકા રહ્યું હતું. પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ ૧૦ થી ૧પ કિ.મી.ની રહેવા પામી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial