Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શિયાળો ટકોરા મારી રહ્યો છે ત્યારે
અમદાવાદ તા. ૧૪: નવરાત્રિ પછી હવે ગુજરાતમાં દિવાળીમાં પણ વરસાદની આગાહી થતા લોકોમાં ચિંતા પેઠી છે. જો કે, અમરેલી-નલિયામાં ઠંડીનો ચમકારો વર્તાયો છે.
ગુજરાતમાં નવરાત્રિ પછી હવે દિવાળીના તહેવારો વખતે પણ વરસાદ રંગમાં ભંગ પાડી શકે છે. આગામી ૧૬ થી ર૦ ઓક્ટોબર દરમિયાન સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં હળવા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, તેથી લોકોમાં ચિંતા પેઠી છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર ૧૬ મીએ ડાંગ, તાપી, નવસારી, વલસાડમાં વરસાદની સંભાવના છે. ૧૭ થી ર૦ દરમિયાન અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ, ડાંગ, તાપી, નવસારી, વલસાડમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. આમ, દિવાળીના તહેવારો વખતે પણ વરસાદની સંભાવનાથી લોકોની ચિંતમાં વધારો થયો છે. દરમિયાન ગુજરાતને દ્વારે શિયાળો ટકોરા મારી રહ્યો છે.
ગત્ રાત્રિએ ૧૭.૬ ડીગ્રી સાથે અમરેલીમાં સૌથી નીચુ તાપમાન નોંધાયું હતું. બીજી તરફ નલિયામાં ૧૮.પ ડીગ્રીએ લઘુતમ તાપમાનનો પારો રહ્યો હતો. અમદાવાદમાં ર૧.૧ ડીગ્રી સાથે સામાન્ય કરતા ૧.૧ ડીગ્રીનો ઘટાડો નોંધાયો હતો, જ્યારે દિવસ દરમિયાન સરેરાશ મહત્તમ તાપમાન ૩૪ ડીગ્રી હતું. આગામી ૩ દિવસ અમદાવાદનું તાપમાન ર૧ ડીગ્રીની આસપાસ રહી શકે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial