Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વિવિધ શાળાઓના ૧ર૦૦ બાળકોએ મહાપ્રસાદ લીધોઃ
જોડિયા તા. ૮: જોડિયામાં આવેલ સુપ્રસિદ્ધ ધાર્મિક સ્થળ શ્રી ઉદાસીન સંત કુટિર 'રામવાડી'માં રામવાડી ભક્ત સમુદાય દ્વારા રામવાડી આશ્રમના બ્રહ્મલીન મહંત પ.પૂ. સંતશ્રી ભલેદાસજી બાપુની ૭ મી પુણ્યતિથિ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતાં, જેમાં ભક્તજનો દ્વારા પૂ. ભોલેદાસજી બાપુની સમાધી અને ધુુણામાં વિશેષ પૂજન-અર્ચન કરવામાં આવ્યું હતું. બટુક ભોજનમાં જોડિયા ગામ તથા આસપાસની વિવિધ સ્કૂલોના ૧ર૦૦ બાળકોએ મહાપ્રસાદ ગ્રહણ કર્યો હતો.
સંત ભોલેદાસજી બાપુની સમાધી અને પૂ. બાપુના અલખ ધુણામાં ઢોલ-નગારા અને ઝાલરો સો રામવાડીના ભક્ત એવા શનિભાઈ વડેરાએ મહાઆરતી કરી હતી. ત્યારપછી બહોળી સંખ્યામાં ભક્તગણે મહાપ્રસાદ ગ્રહણ કર્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial