Advertisement
Author: નોબત સમાચાર

જામખંભાળીયા નગરપાલિકા દ્વારા રામનાથ વિસ્તારમાં ત્રણ સ્થળે નવા સીસી રોડ બનાવાશે

ન.પા.ના સદસ્યા હીનાબેન આચાર્યની રજુઆતને સફળતા

                                                                                                                                                                                                      

ખંભાળીયા તા. ૭: ખંભાળીયા પાલિકા વિસ્તારમાં વોર્ડ નંબર ૭માં આવેલા ત્રણેક રસ્તાઓ પર વર્ષો પહેલાં પેવર બ્લોક નાખેલા હોય આ પેવર બ્લોક બેસી જતા હોય તથા પાણી ભરાતા ગંદકી થતી હોય વોર્ડ નં. ૭ના સદસ્યા તથા પૂર્વ કારોબારી ચેરમેન શ્રીમતી હીનાબેન આચાર્ય દ્વારા પાલિકા તંત્રને રજુઆત કરવામાં આવતા નવા ત્રણ સીસી રોડ મંજુર થયા છે.

રામનાથ વિસ્તારમાં કબ્રસ્તાન પાસેથી થઈને પરેશભાઈ મહેતાના ઘર પાસેનો રસ્તો, સંજયભાઈ બથીયા તથા પાલિકા પૂર્વ ઈજનેર સ્વ. મુકેશભાઈ જાનીના ઘર પાસેનો રસ્તો તથા એક આડો રસ્તો મળીને ત્રણ રસ્તા પર જુના બેસી ગયેલા પેવર બ્લોકને કાઢીને તેને સ્થાને લાખો રૂપિયાના ખર્ચે સીસી રોડ બનાવવામાં આવશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh