Advertisement
Author: નોબત સમાચાર

વીજચોરીના ત્રણ કેસમાં આરોપીનો નિર્દોષ છૂટકારો

ધી ઈન્ડિયન ઈલેક્ટ્રીક સિટી એક્ટ હેઠળ નોંધાયેલા

                                                                                                                                                                                                      

જામનગર તા. પઃ જામનગરના એક આરોપીનો વીજચોરીના જુદા જુદા ત્રણ કેસોમાં અદાલતે નિર્દોષ છૂટકારો ફરમાવ્યો છે.

જામનગરના ધરારનગરમાં રહેતા કરણસિંહ ગુમાનસિંહ ઝાલા સામે વર્ષ ર૦૧૬ થી વર્ષ ર૦૧૮ દરમિયાન વીજચોરીના જુદા જુદા ત્રણ કેસ ધી ઈન્ડિયન ઈલેક્ટ્રીક સિટી એક્ટની કલમ-૧૩પ હેઠળ નોંધાયા હતાં, અને અલગ-અલગ ત્રણેય કેસની સુનાવણી જામનગરના સ્પેશિયલ (ઈલે.) જજની અદાલતમાં જુદા જુદા સમયે થઈ હતી.

આ ત્રણેય કેસમાં ફરિયાદ પક્ષ તરફથી દસ્તાવેજી પુરાવાઓ રજૂ થયા હતાં, અને પંચો, ફરિયાદી, ચેકીંગ ટીમના સભ્યો, તપાસી અધિકારી વગેરેના સરતપાસ, ફેરતપાસ, ઉલટ તપાસ સહિતની સુનાવણીઓ થઈ હતી.

વર્ષ ર૦૧૬ અને વર્ષ ર૦૧૮ દરમિયાન રૂ. ૪૧,૬૦૩-૦૩ તથા ૧૯,૧૩પ-૬૩ અને ૧૩,૦પપ-૪ર મળીને કુલ રૂ. ૭૩,રપ૪ થી વધુની વીજચોરીના કેસ નોંધાયા હતાં. તેની તબક્કાવાર અલગ-અલગ સુનાવણીઓ તથા દલીલો રજૂ થઈ હતી.

આ ત્રણેય કેસમાં આરોપીને નિર્દોષ ઠરાવીને છોડી મૂકવાનો હુકમ સ્પેશિયલ કોર્ટના પ્રિન્સિપાલ ડિસ્ટ્રીક્ટ જજ નેહલકુમાર રાજેશકુમાર જોષી સાહેબે કર્યો હતો. આ કેસમાં આરોપી તરફથી એલએડીસીના એડવોકેટ અને વિદ્વાન વકીલ એમ.બી. સોમૈયા રોકાયા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh