Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકામાં જન્માષ્ટમી ઉત્સવની ઉજવણી અંગે પૂર્વ-આયોજન ઘડાયુઃ જવાબદારીઓ સોંપાઈ

ખંભાળિયામાં કલેકટર કચેરીમાં બેઠક યોજાઈ

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ૧૭: દ્વારકામાં આગામી તા. ૧૬ ઓગસ્ટના જન્માષ્ટમી ઉત્સવ-૨૦૨૫ની ઉજવણી કરવામાં આવનાર છે. જેના સૂચારૂ આયોજન અંગે જિલ્લા કલેકટર રાજેશ તન્નાની અધ્યક્ષતામાં કલેકટર કચેરી સભાખંડમાં બેઠક યોજાઇ હતી.

આ તકે જિલ્લા કલેકટર રાજેશ તન્નાએ જણાવ્યું હતું કે, દર વર્ષની જેમ આ વર્ષે પણ દ્વારકામાં જન્માષ્ટમી ઉત્સવની ઉજવણી કરવામાં આવનાર છે ત્યારે  ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવ પ્રસંગે બહોળી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવતા હોય છે. ત્યારે નાગરિકોને કોઈપણ અગવડતા ન પડે તેમજ ટ્રાફિક, વાહન પાર્કિંગ વ્યવસ્થા, હેલ્પ ડેસ્ક ઉભા કરવા, વીજ પુરવઠો, સ્વચ્છતા, પીવાના પાણી સહિતની વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા માટે જણાવ્યું હતું. ઉપરાંત કાયદો અને વ્યવસ્થા તથા મંદિર આસપાસ બેરીકેટીંગ કરવા સહિત તમામ આનુષંગિક વ્યવસ્થાઓ ચકાસી લેવા માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. 

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એ.બી.પાંડોર, નિવાસી અધિક કલેકટર ભૂપેશ જોટાણીયા, નાયબ પોલીસ અધિક્ષક સાગર રાઠોડ, નાયબ કલેકટર રિધ્ધિ રાજ્યગુરૂ, નાયબ કલેકટર હિમાંશુ ચૌહાણ સહિત સંલગ્ન વિભાગના અધિકારીઓ ઊપસ્થિત રહૃાા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh