Advertisement
Author: નોબત સમાચાર

મલેશિયામાં જામનગરના જ્યોતિષ ડૉ. નિલેષ લલિતચંદ્ર વ્યાસને ગ્લોબલ એવોર્ડ એનાયત

ઈન્ટરનેશનલ વૈશ્વિક એસ્ટ્રોલોજિકલ ફેડરેશન દ્વારા

                                                                                                                                                                                                      

જામનગર તા. ર૬: ઈન્ટરનેશનલ વૈદિક એસ્ટ્રોલોજી ફેડરેશન (આઈ.વી.એ.એફ.) યુ.એ.એસ.એ. અને શ્રી સુબ્રહ્મણિયમ્ એસ્ટ્રોલોજિકલ અને સ્પિચ્યિુઅલ કન્વોકેશન-કેરેલાની સંસ્થા દ્વારા પાંચ દિવસીય કાર્યક્રમ મલેશિયામાં સંપન્ન થયો, જેમાં ભારતભરના અનેક રાજ્યોમાંથી જ્યોતિષાચાર્ય, વાસ્તુવિસારદો, ટેરોરીડર, હિલીંગ લિડર, અંક જ્યોતિષ શાસ્ત્રી વિગેરે ઉપસ્થિત રહ્યા હતાં અને ભારત તથા વિશ્વમાં આપણા પ્રાચીન શાસ્ત્રોના પ્રચાર-પ્રસાર થાય તે વિષયક અને વિશ્વશાંતિ અર્થેના ઉપાયો વિષયક ચર્ચા અને એઆઈના વધતા પ્રચારમાં વૈદિક જ્યોતિષની મહત્ત્વના કાયમ રહે તે અંગે માર્ગદર્શન કર્યું હતું અને જણાવ્યું હતું કે, જ્યોતિષી ભાગ્ય વિધાતા તો નથી, પરંતુ માર્ગદર્શક રૂપમાં વ્યક્તિઓની દુઃખ અને દરિદ્રતા મિટાવે છે.

આ કાર્યક્રમમાં મલેશિયા ગવર્મેન્ટ ટુરીઝમના સેક્રેટરી મિ. જોસેફ તેમજ ધર્મગુરુ સ્વામી ધ્યાન રહસ્થમયજીની ઉપસ્થિતિમાં તેમજ (આઈ.વી.એ.એફ.) ના મુખ્ય સંચાલક મેનેજીંગ ડિરેક્ટર દિવ્યાજી પિલ્લાઈ હરિશ, જામનગરના વિશ્વ વિખ્યાત આચાર્ય ડો. નરેન્દ્રભાઈ, દિવાકરન, પંડિત યુવરાજના વરદ્ હસ્તે જામનગરના ભાર્ગવ જ્યોતિષ કાર્યાલયવાળા ડો. નિલેષ લલિતચંદ્ર વ્યાસને 'ગ્લોબલ એસ્ટ્રોલોજિકલ આઈકોન એવોર્ડ અને સર્ટીફિકેટ'થી સન્માન કરવામાં આવ્યું તેમજ (યુ.એસ.એ.) ની આ સંસ્થા દ્વારા લાઈફ મેમ્બરશીપ સર્ટીફિકેટથી પણ સન્માન કરવામાં આવ્યું હતું, જેથી જામનગર અને બ્રહ્મસમાજનું ગૌરવ વધ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh