Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળિયા નગરપાલિકા રોજમદાર કર્મચારીઓનો સુપ્રિમ કોર્ટમાં કેસ

આ માસના અંતમાં સુનાવણી થશેઃ

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ર૧: નગરપાલિકા જ્યારે નગર પંચાયત હતી ત્યારથી રોજમદાર તરીકે રર-ર૪ વર્ષોથી ફરજ બજાવતા રર જેટલા કર્મચારીઓને અનેક વખત ઠરાવો કર્યા પછી, જિલ્લા લેબર કોર્ટમાં પાલિકા ચીફ ઓફિસર દ્વારા સમાધાન હુકમો આપવાનું નક્કી થયા પછી પણ કાયમી નહીં કરાતા તથા મામલો હાઈકોર્ટમાં ગયો હતો. ત્યાં પણ રોજમદારો જીત્યા પછી સ્પેશ્યલ બેંચમાં પાલિકા દ્વારા અપીલ કરાતા રોજમદારો દ્વારા ઐતિહાસિક લડત કરીને મામલો છેક સુપ્રિમ કોર્ટમાં પહોંચ્યો છે, જેની સુનવણી નજીકના સમયમાં આ માસના અંત સુધીમાં થવાની છે, ત્યારે આટલા વર્ષોની રોજમદાર તરીકે ફરજ બજાવતા કર્મચારીઓને કાયમી કરવા માગણી ઊઠી છે.

ઉલ્લેખનિય છે કે, હાલારની અન્ય અનેક પાલિકાઓમાં અલગ કેસમાં કાયમી કરાયા છે, પણ ખંભાળિયામાં કાયમી નહીં કરાતા રર પૈકી ત્રણેક કર્મચારીઓ તો મૃત્યુ પામ્યા છે, ત્રણેક નિવૃત્ત થઈ ગયા છે અને પાંચ-સાચતની નિવૃત્તિની તૈયારી છે, ત્યારે આ લડત છેક સુપ્રિમ કોર્ટ સુધી કરવી પડતા રોજમદારો મોટા ખર્ચના ખાડામાં ઉતરી  ગયા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh