Advertisement
Author: નોબત સમાચાર

ભોં ભાડાની તગડી રકમ ઉઘરાવીને ભોં માં ભંડારી દેનાર કોણ? તપાસ કરો...

જામ્યુકોની આ ચર્ચા બની ટોક ઓફ ધ ટાઉન

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩: જામનગર મહાનગરપાલિકા દ્વારા ધંધાર્થીઓ માટે ભોં ભાડાના દર નક્કી કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ આ ભાડાની રકમ ઉઘરાવવામાં આવે છે, પરંતુ મહાનગરપાલિકાની તિજોરીમાં જમા થાય છે ખરી? આ મુદ્દો હાલ ખૂણે ખાંચકે ચર્ચવામાં આવી રહ્યો છે.

જામનગરમાં થોડા દિવસ પહેલા મેળો ચર્ચાસ્પદ બન્યો હતો, જો કે હજુ તેની તપાસ ચાલી રહી છે, જ્યારે કોની સામે ક્યારે કેવા પગલાં લેવાશે તેનું નક્કી નથી.

જ્યારે હવે ભોં ભાડાના ઉઘરાણાનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે. ટી.પી.માં મળેલ પ્લોટ, રોડ, સાઈડ, ઓપન જગ્યા વિગેરે અંગેના ભોં ભાડાના દર મહાનગરપાલિકા દ્વારા પહેલાથી જ નક્કી કરાયા છે.

એવું પણ સાંભળવા મળી રહ્યું છે કે, આ ભોંભાડાની રકમનું ચોક્કસ સ્થળેથી ઉઘરાણું થઈ રહ્યું છે, પરંતુ શું આ તગડી રકમ મહાનગરપાલિકાની તિજોરીમાં જમા થાય છે ખરી?

જો મહાનગરપાલિકાને આવક થતી હોય તો કોઈ પ્રશ્ન નથી, પરંતુ જો તિજોરીમાં આવી રકમ જમા થતી ન હોય તો કોણ ઉઘરાવે છે? અને તે રકમ ક્યાં જાય છે? તેની તપાસ કરવી જોઈએ અને પગલાં પણ લેવા જોઈએ.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh