Advertisement
Author: નોબત સમાચાર

શ્રમિકોના પ્રશ્ને તા. ૧૦ નવેમ્બરે અમદાવાદમાં આક્રોશ રેલી યોજાશે

ભારતીય મજદુર સંઘ દ્વારા

                                                                                                                                                                                                      

જામનગર તા. ૬: રાજ્યના શ્રમિકોમાં અનેક પ્રશ્નો લાંબા સમયથી અણ ઉકેલ છે. આ શ્રમિકોના આક્રોશને વ્યક્ત કરવા માટે આગામી તા. ૧૦-૧૧-૨૫ના અમદાવાદમાં રિવરફ્રન્ટ પાસે ભારતીય મજદુર સંઘ, ગુજરાત પ્રદેશ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જેેમાં રાજ્યના એક લાખથી વધુ શ્રમિકો જોડાશે. તથા સરકારને પડતર પ્રશ્નોનું આવેદન પાઠવાશે, જેમાં મુખ્ય પ્રશ્નોમાં આંગણવાડી કર્મચારીના વેતન સંબંધી ચુકાદાની અમલવારી કરવી અને સ્માર્ટફોન ફાળવવા, સરકારી મજુર વિભાગમાં ખાલી જગ્યાનું સંરક્ષણ પૂર્ણ કરવું, આશા કર્મચારીઓને સરકારી કર્મચારીઓ જાહેર કરવા, તથા લઘુતમ વેતન ચુકવવું, નિવૃત્તિ લાભ પેટે રૂ. ૧૦ લાખ ચુકવવા, અકસ્માત મૃત્યુ કિસ્સામાં પાંચ લાખ ચુકવવા, મધ્યાન્હ ભોજન યોજનાના કર્મચારીઓને લઘુતમ વેતન ચુકવવું, જી.આઈ.એસ.એફ.એસ ને બોર્ડ-નિગમનો દરજ્જો આપવો, બોર્ડ-નિગમના કર્મચારીઓને સરકરી કર્મચારીને મળતા લાભો મુજબ આપવા, રોજમદારને કાયમી કરવા, કામના કલાક ૮ ને બદલે ૧૨ કલાક કરવાનો નિર્ણય અને મહિલા પાસેથી પણ રાત્રિ શિફટમાં કામ કરાવી શકાય તેવો સરકારનો નિર્ણય ગેરવ્યાજબી છે વગેરે સહિતની માંગણીઓનો સમાવેશ થાય છે.

આ રેલીમાં જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના શ્રમિકોને જોડાવા આહવાન કરવામાં આવ્યું છે. તેમ જિલ્લા મહામંત્રી મનીષ બી. ગોહિલે જણાવ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh