Advertisement
Author: નોબત સમાચાર

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ૪ર કર્મચારીને હક્ક-હિસ્સા ક્યારે મળશે?

જામ્યુકોના જનરલ બોર્ડમાં ઠરાવ અને અદાલતના હુકમો છતાં

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૮: જામનગની નગર પ્રાથિક શિક્ષણ સમિતિના ર૩ કાયમી કર્મચારીના અને ૧૯ પટાવાળા, ઓફિસરના હક્ક-હિસ્સા ચૂકવવા સહિતની સત્તાના મુદ્દે વિલંબ થઈ રહ્યો છે.

આ અંગે સામાન્ય સભામાં ઠરાવ થઈ ચૂક્યો છે. હાઈકોર્ટમાં રજૂ કરવાના સમાધાનમાં સહી કરવાની સત્તા શાસનાધિકારીની સત્તા બહાર હોવાનું પ્રકાશમાં આવ્યા પછી હાઈકોર્ટમાં આ સમાધાન થઈ શક્યું નથી.

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની બેદરકારીના કારણે હજુ સુધી શિક્ષણ વિભાગો સહિતની સત્તા માટેની દરખાસ્ત થઈ શકી નથી આમ કર્મચારીને હક્ક-હિસ્સા ક્યારે મળશે? તેનો કોઈ સમય નિશ્ચિત નથી.

લોકલ ઓડિટ ફંડની કચેરીમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ કાયમી કરેલ ર૩ કર્મચારીના મહેકમ રાજ્ય સરકારે મંજુર કર્યા નથી. આથી ૧૬ કર્મચારીએ હક્ક-હિસ્સા માટે કોર્ટમાં દાદ માંગી હતી, જેમાં કર્મચારીની તરફેણમાં ચૂકાદો આવ્યો હતો. આવા જ અન્ય એક કિસ્સામાં પટાવાળા-કમ-ઓફિસર તરીકે ફરજ બજાવતા ૧૯ કર્મચારીઓને કાયમી કરવા માટે અદાલતમાં દાદ માંગી હતી જેમાં પણ મજુર અદાલતે આ કર્મચારીને કાયમી કરવા અને બાકી હક્ક-હિસ્સા ચૂકવી આપવા હુકમ કર્યો હતો.

જેની સામે હાઈકોર્ટમાં અપીલ કરવામાં આવી હતી જ્યાં પણ કર્મચારીની તરફેણમાં ચૂકાદો આવ્યો હતો, જેમાં રૂ. ૪૦ કરોડની રકમ ચૂકવવાની થતી હતી આખરે તેમાં રૂ. ૯ કરોડ પ૦ લાખમાં સહમતિ સાધવામાં આવી હતી, પરંતુ સત્તાધીશો દ્વારા કોઈ જરૂરી પ્રક્રિયા કરવામાં આવી નહીં હોવાથી આ રકમ કર્મચારીને ક્યારે મળશે તે અંગે કોઈ પાસે જવાબ નથી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh