Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આદિજાતિ વિકાસ વિભાગ, ગુજરાત અને જિલ્લા વહીવટી તંત્ર, જામનગર દ્વારા
ભગવાન બિરલા મુંડાની ૧પ૦ મી જન્મ જયંતી, જન જાતિય ગૌરવ વર્ષ ઉત્સવનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ આજે સવારે ટાઉનહોલમાં યોજાયો હતો. ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજીત આજના કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે રાજ્યના શિક્ષણ મંત્રી રિવાબા જાડેજા ઉપસ્થિત રહ્યા હતાં. ધારાસભ્યો રાઘવજીભાઈ પટેલ, દિવ્યેશભાઈ અકબરી, મેઘજીભાઈ ચાવડા, શહેર ભાજપ પ્રમુખ બિનાબેન કોઠારી, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન નિલેષ કગથરા, અધિક કલેક્ટર બી.એન. ખેર, એસ.પી. રવિ મોહન સૈની, ડી.એમ.સી શ્રી ઝાલા સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતાં. ઉપરાંત લોકોથી ટાઉનહોલ પણ ભરચક્ક ભરાઈ ગયો હતો. ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યા પછી પ્રાસંગિક પ્રવચન કરવામાં આવ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial