Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વર્ષ ૨૦૧૨માં કરી અપાયો હતો દસ્તાવેજઃ
જામનગર તા. ૨૪: લાલપુરના રાસંગપર ગામમાં આવેલી ખેતીની એક જમીન અંગે કરાયેલા વેચાણ દસ્તાવેજને રદ્દ ઠરાવી આપવા દીવાની અદાલતમાં કરાયેલો દાવો અદાલતે નામંજૂર રાખ્યો છે.
લાલપુર તાલુકાના રાસંગપર ગામમાં ગોદાવરીબેન જેઠાલાલ તથા તેમના માતા લાભુબેન જેઠાલાલ મોખાની ખેતીની જમીન આવેલી છે. તે જમીનનો ગઈ તા.૭-૮-૧રના દિને ગોદાવરીબેન તથા લાભુબેને વેચાણ દસ્તાવેજ કરી આપ્યો હતો. રસીલાબેન રમેશચંદ્ર નાકરના નામનો દસ્તાવેજ કરાવાયો હતો.
તે પછી લાભુબેન મોખાએ લાલપુરની દીવાની અદાલતમાં રસીલાબેન નાકર સામે દાવો કરી તેમાં જણાવ્યું હતું કે, દસ્તાવેજમાં બતાવાયેલી અવેજની રૂ.સાડા ચાર લાખની રકમ છ મહિનામાં રસીલાબેન આપવાના હતા પરંતુ તે રકમ અપાઈ નથી. તેથી દસ્તાવેજ રદ્દ કરવો જોઈએ.
તે દાવા અંતર્ગત રસીલાબેન તરફથી દલીલ કરાઈ હતી કે, આ રકમ મળી ગયાની કબૂલાત કરાઈ છે. તેમજ ગોદાવરીબેનની ઉલટ તપાસમાં તેઓએ અવેજની રકમ બાકી રાખવા માટે સમજુતીનું લખાણ કર્યું નથી તે કબૂલ્યું છે અને રેવન્યુ રેકર્ડમાં રસીલાબેનના નામે જગ્યા ટ્રાન્સફર થઈ ત્યારે પણ વાંધો નહીં લીધાનું કબૂલ્યું છે. અદાલતે તે દલીલ ગ્રાહ્ય રાખી ગોદાવરીબેન જેઠાલાલ દ્વારા કરાયેલો દાવો રદ્દ કરવાનો આદેશ કર્યાે છે. રસીલાબેન નાકર તરફથી વકીલ ચિરાગ નથવાણી, ધર્મેશ રાઠોડ રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial