Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મમતાની મૂર્તિ, સંસ્કારોની સરવાણી,
સ્નેહનો શિતળ છાંયડો,
માધવાણી પરિવારનો શિતળ છાંયડો વર્ષ-૨૦૦૭ની ૧૩મી જુલાઈના દિવસે ઝુંટવાઈ ગયો, ત્યારે અમે બધા આપની હૂંફ ગુમાવીને સ્તબ્ધ થઈ ગયા હતા. માતાના સ્નેહનું ઝરણું સદૈવ વહેતુ રહે છે. સંસ્કારોની સરવાણી વહાવતી મમતાની મૂર્તિ સમી માં એટલે સાક્ષાત ઈશ્વરનું જિંવંત સ્વરૃપ...
પૂ. બા એ અમારા પિતા સ્વ. રતિલાલ માધવાણીના કદમ સાથે કદમ મિલાવીને નોબત પરિવાર અને માધવાણી પરિવાર પર અપાર મમતા અને સ્નેહ વરસાવ્યા હતા. તેઓ હંમેશાં હસતા મૂખે સૌને આવકારતા હતા, અને સરળ, સાદગીભર્યા જિવનની સાથે હંમેશાં ક્રિયાશીલ રહેતા હતા. તેઓનું સમગ્ર જિવન અમારા માટે પ્રેરણા અને આશીર્વાદરૃપ રહ્યું હતું, અને આજે પણ તેઓ આપણી બધાની વચ્ચે જ હોય તેવી અનુભૂતિ થાય છે.
પૂજ્ય બા...આજે પણ આપની સ્મૃતિ અમોને પ્રેરણા આપે છે અને આપનો સ્નેહાળ હસતો ચહેરો અમને હંમેશાં હસતા રહેવાનું શિખવે છે. આપની સૌ કોઈને મદદરૃપ થવાની ભાવના, મળતાવડો સ્વભાવ અને સૌના મન જીતી લેતી મમતાના કારણે આપ સૌ કોઈને અત્યંત પ્રિય હતા. આપ આજે પણ અમારા સૌના દિલમાં ધબકી રહ્યા છો...
આપ ભલે દેહસ્વરૃપે અમારી વચ્ચે નથી, પરંતુ સ્મૃતિઓ અને હૂંફાળી પ્રેરણાના સ્વરૃપમાં આપ આજે પણ અમારા દિલોદિમાગમાં જિવંત જ છો. આપે અનંત વિદાય લીધી ત્યારે અમોને કારમો આઘાત લાગ્યો હતો, પરંતુ ઈશ્વરની ઘટમાળ સામે આપણું કાંઈ ચાલતુ નથી. આપ આજે પણ વૈકુંઠમાંથી અમારા બધા પર અમિભર્યા આશીર્વાદ વરસાવી જ રહ્યા છો....
પૂજ્ય બા...આપ અમારી ચેતના છો, અમારી પ્રેરણા છો...આપના પથદર્શન પર જ, અમો આજે પ્રગતિના પંથે આગળ વધી રહ્યા છીએ.
શ્રીજી ના ચરણોમાં વંદન સાથે અમો આપને પુષ્પાંજલિ અને સ્મરણાંજલિ સાથે ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પીએ છીએ.
જામનગર
તા. ૧૪-૭-૨૦૨૫
- માધવાણી પરિવાર
- નોબત પરિવાર