Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકા લોહાણા જ્ઞાતિના તેજસ્વી તારલાઓનું કરાશે સન્માન

ધોરણ ૧ થી કોલેજમાં અભ્યાસ કરતા

                                                                                                                                                                                                      

દ્વારકા તા. પઃ દ્વારકા લોહાણા જ્ઞાતિના તેજસ્વી તારલાઓનો સત્કાર સમારોહ યોજાશે. જેની ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૧પ જુલાઈ છે.

દ્વારકા લોહાણા સમાજના ધો. ૧ થી ૧ર તેમજ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના સત્કાર સમારંભ કાર્યક્રમનું આગામી દિવસોમાં આયોજન થનાર છે. આ સત્કાર સમારોહમાં લોહાણા જ્ઞાતિના તેજસ્વી તારલાઓને સન્માનિત કરવામાં આવશે.

જેના માટે ધો. ૧ થી ૮ મા ૭પ ટકા કે તેનાથી વધુ માર્કસ તથા ધો. ૯ થી ૧ર તેમજ કોલેજ માટે ૬પ ટકા તેથી વધુ માર્કસ મેળવનાર વિદ્યાર્થીઓએ જ તેમના ફોર્મ ભરવાના રહેશે. આ માટેના ફોર્મ તા. ૧-૭-ર૦રપ થી તા. ૧૦-૭-ર૦રપ સુધી ગોકુલ ભુવન સિદ્ધનાથ રોડ, દ્વારકામાંથી મેળવી લેવા તેમજ ફોર્મ ભરીને પરત કરવાની અંતિમ તા. ૧પ-૭-ર૦રપ છે.

ફોર્મ સાથે પરિણામની ઝેરોક્ષ નકલ તથા આધાર કાર્ડ સામેલ રાખવું ફરજિયાત છે. મુદ્ત પૂરી થયે ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં તેવું યાદીમાં જણાવાયું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh