Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઝપાઝપીમાં ચેઈન તૂટી જવા પ્રશ્ને દંપતી પર હલ્લોઃ
જામનગર તા. ૯: જામનગરના શંકરટેકરીમાં થોડા દિવસ પહેલાં થયેલી એક માથાકૂટમાં એક શખ્સનો ચેઈન તૂટી ગયો હતો. તે બાબતે આ શખ્સે બોલાચાલી કર્યા પછી એક વૃદ્ધ તથા તેમના પત્ની પર હુમલો કર્યાે હતો. જ્યારે સચાણામાં પાણી આવતું ન હોવાથી એક નાગરિકે ગ્રામ પંચાયતના સદસ્યને પૂછતા તેના પર સદસ્યના બે પુત્ર સહિત ત્રણે હુમલો કરી છરી હુલાવી દીધી હતી.
જામનગરના શંકરટેકરી વિસ્તારમાં આવેલી સિદ્ધાર્થ કોલોનીની શેરી નં.૭માં રહેતા રામજીભાઈ નાથાભાઈ ચૌહાણ નામના વૃદ્ધને થોડા દિવસ પહેલાં વણકર સમાજની વાડી નજીક વસવાટ કરતા દિવ્યેશ મનસુખભાઈ ચૌહાણ સાથે માથાકૂટ થઈ હતી. જેમાં ઝપાઝપીમાં દિવ્યેશનો ચેઈન તૂટી ગયો હતો.
આ બાબતે દિવ્યેશે રામજીભાઈ તથા તેના પત્ની સાથે ઝઘડો કરી ગાળો ભાંડવા ઉપરાંત ગઈકાલે સાંજે હુમલો કર્યાે હતો. આ શખ્સે રામજીભાઈના માથામાં ઈંટ ફટકારી હતી અને વચ્ચે પડનાર રામજીભાઈના પત્નીને પણ ઈજા પહોંચાડી હતી. સિટી સી ડિવિઝનમાં તેની ફરિયાદ કરાઈ છે.
જામનગર તાલુકાના સચાણા ગામમાં ઝુબેરહુસેન જાકુબ ગંઢાર નામના યુવાનના ઘેર થોડા દિવસથી પાણી આવતું ન હોવાથી તેણે ગ્રામ પંચાયતના સદસ્ય આદમ ઈસ્માઈલ ગંઢારને તેઓએ પાણી બાબતે પૂછતા ઉશ્કેરાયેલા આદમભાઈએ બોલાચાલી કરી હતી. તે દરમિયાન જાવિદ તથા ઈસ્માઈલ આદમ દોડી આવ્યા હતા. તેઓએ મારા પિતા સાથે બોલાચાલી કેમ કરશ તેમ કહી ઢીકાપાટુ તથા છરીથી હુમલો કરી ઝુબેરહુસેનને ઈજા પહોંચાડી હતી. પંચકોશી એ ડિવિઝન પોલીસે ગુન્હો નોંધ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial