Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૯૪ ટકા
જામનગર તા. ૭: જામનગરમાં પોણા ડિગ્રીથી વધુ ઉંચકાયને મહત્તમ તાપમાન ૩૨ ડિગ્રી નોંધાયું હતું. મેઘાવી માહોલના પગલે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૯૪ ટકા રહ્યું હતું.
જામનગરમાં વરસાદી વાતાવરણની સાથે સાથે તાપમાનમાં વધારા-ઘટાડાનો દોર પણ યથાવત રહ્યો છે. એક દિવસ તાપમાન વધે છે તો બીજા દિવસ તેમાં ઘટાડો થાય છે. આજે સવારે પૂરા થતા ચોવિસ કલાક દરમિયાન મહત્તમ તાપમાનનો પારો પોણા ડિગ્રીથી વધુ ઉંચકાયને ૩૨ ડિગ્રીએ પહોંચી ગયો હતો. જયારે બે ડિગ્રીના ઘટાડા સાથે લઘુતમ તાપમાન ૨૫ ડિગ્રી નોંધાયું હતું.
જામનગરના વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૯૪ ટકા રહ્યું હતું. પવનની ગતિ પ્રતિ કલાકની સરેરાશ ૩૦ થી ૩૫ કિ.મી.ની રહેવા પામી હતી. વરસાદી માહોલ અને તેજીલા વાયરાઓના પગલે વાતાવરણમાં ઠંડક રહી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial