Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બાઈક ટકરાવી ઉભા રાખ્યા પછી પાંચ શખ્સ તૂટી પડ્યાઃ
જામનગર તા. ૨૦: જામનગરના એક યુવાન પર ગયા વર્ષની ઘર પર સળગતા ફટાકડા ફેંકવાની અને ચૂંટણી બાબતની માથાકૂટના કારણે પાંચ શખ્સે હુમલો કરી માર માર્યાની અને ધમકી આપ્યાની પોલીસમાં ફરિયાદ કરાઈ છે.
જામનગરના ખોડીયાર કોલોની વિસ્તારમાં આવેલા રાજનગર પાસે વસવાટ કરતાં મૂળ જામનગર તાલુકાના બેડ ગામના વતની દોલતસિંહ ચંદ્રસિંહ જાડેજા નામના પ્રૌઢના બેડ ગામમાં આવેલા મકાન પર ગયા વર્ષે દિવાળીના પર્વ પર બેડના રાજેન્દ્રસિંહ લાલુભા જાડેજા સહિતના વ્યક્તિઓ સળગતા ફટાકડા નાખતા હતા.
ત્યારે રાજેન્દ્રસિંહ અને દોલતસિંહ વચ્ચે બોલાચાલી થઈ હતી. ત્યારપછી ચૂંટણી બાબતનું મનદુખ પણ ઉભુ થવા પામ્યું હતું. તે બાબતનો ખાર રાખી બુધવારે સાંજે આઠેક વાગ્યે બેડ ગામમાં દોલતસિંહ ચંદ્રસિંહ જાડેજા જ્યારે પોતાના મોટરસાયકલ પર જતા હતા ત્યારે સામેથી મોટરસાયકલ પર ધસી આવેલા રાજેન્દ્રસિંહે તેઓની સાથે મોટરસાયકલ ટકરાવ્યા પછી પોતાની પાસે રહેલી છરીથી હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો.
આ વેળાએ દોલતસિંહે છરી પકડી લીધી હતી. ત્યારે જ અન્ય વાહનોમાં ધસી આવેલા હરદેવસિંહ લાલુભા જાડેજા, લગધીરસિંહ જોરૂભા જાડેજા, મહાવીરસિંહ લગધીરસિંહ જાડેજા તથા દુષ્યંતસિંહ રાજેન્દ્રસિંહ જાડેજાએ દોલતસિંહ તથા તેમની સાથે રહેલા વ્યક્તિને માર મારી ગાળો ભાંડી પતાવી દેવાની ધમકી આપી હતી. સિક્કા પોલીસ સ્ટેશનમાં તેની ફરિયાદ કરાઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial