Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શંકરટેકરીના બે શખ્સની આરોપમાંથી મુક્તિઃ
જામનગર તા. ૨૮: જામનગરના શંકરટેકરી વિસ્તારમાં સવા ત્રણ વર્ષ પહેલાં એક યુવાનને ગાળો ભાંડી બે શખ્સે ધમકી આપ્યાની પોલીસમાં ફરિયાદ થઈ હતી. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપીઓનો છૂટકારો ફરમાવ્યો છે.
જામનગરના શંકરટેકરીમાં રહેતા પૃથ્વીરાજસિંહ કિશોરસિંહ વાઢેર નામના યુવાનને ગઈ તા.૧પ-ર-રરના દિને આફ્રીદી મહેબુબ દરજાદા તથા આરીફ રફીક મકરાણી નામના બે શખ્સે ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઉપરોક્ત ફરિયાદ પોલીસમાં કરવામાં આવતા પોલીસે ગુન્હો નોંધી આરોપીઓની ધરપકડ કરી હતી. ઉપરોક્ત કેસ ચાલી જતા અદાલતે બંને આરોપીનો છૂટકારો ફરમાવ્યો છે. આરોપી તરફથી વકીલ વર્ષા રાવલ, જયશ્રી બુમતારીયા રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial