Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રખડતા ઢોર અને રેઢિયાળ તંત્ર... અંધેરી નગરીને...!?
જામનગર તા. ૩: જામનગર મહાનગરપાલિકા દ્વારા પકડવામાં આવેલ ઢોરને છોડાવવા માટે દંડ ભરવામાં આવે તે પછી ઢોર મુક્ત કરવામાં આવે છે. એક વૃદ્ધાએ રૂ. ૧૦ હજારનો દંડ ભર્યો અને પોતાનું ઢોર છોડાવવા જતા એવો જવાબ આવ્યો કે તમારૂ ઢોર તો મૃત્યુ પામ્યું છે.
જામનગર મહાનગરપાલિકાની સોલીડ વેસ્ટ શાખા દ્વારા રસ્તે રઝળતા ઢોરને પકડીને ડબ્બે પૂરવામાં આવે છે. આ દમિયાન એક ગર્ભવતી ગાયને પકડવામાં આવી હતી, પરંતુ ગાય માલીક પાસે દંડ ભરવાના પૈસાની સગવડ નહીં હોવાથી થોડા દિવસ પછી રૂ. ૧૦ હજારની રકમ એકત્ર કરી મહાનગર પાલિકામાં ગાય છોડાવવા માટે રૂ. ૧૦ હજારની દંડનીય રકમ જમા કરાવી પહોંચ મેળવી હતી, ત્યારપછી આ વૃદ્ધા ઢોરના ડબ્બામાં પહોંચ્યા હતાં અને પોતાની ગાય પરત આપવા માંગ કરતા એવો જવાબ મળ્યો હતો કે તમારી ગાય અને વાછરડાને જન્મ આપ્યો હતો અને ગાય તથા વાછરડા બન્ને મૃત્યુ પામ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial